🔥 TRENDING आदर्श विद्या मंदिर की बहनों ने जवानों... Congress Alleges Publisher Wanted Modi... Jim Sarbh Celebrates 39th Birthday, Re... Salvador Dali's Insight on Memory Spar... Dhruv R Jain Declares TV Faces No Iden... Bollywood star Preity Zinta savours In...
29 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

Dharm

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 29 Aug 2026, 12:56 AM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

Dharm

અહેવાલ: BAPS સ્વામિનારાયણ મંદિર, દેવગઢ બારીયા ખાતે રક્ષાબંધન પર્વ નિમિત્તે ભવ્ય પૂનમ સભાનું આયોજન
દેવગઢ બારીયા:
તારીખ ૨૮ ઓગસ્ટ ૨૦૨૬, શુક્રવારના રોજ દેવગઢ બારીયા સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરે રક્ષાબંધનના પવિત્ર અવસરે વિશેષ 'પૂનમની સભા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે ૭:૦૦ થી ૮:૪૫ કલાક દરમિયાન યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આજના પૂનમના મુખ્ય યજમાન તરીકે પ.ભ. અક્ષયભાઈ સુથારએ લાભ લીધો હતો.
સભાની વિશેષતાઓ અને કાર્યક્રમ:
વિશેષ વક્તૃત્વ અને લાભ: રક્ષાબંધનના પવિત્ર અવસરે દેવગઢબારીયા વિસ્તારમાં વિચરણ કરતાં પૂજ્ય વર્ણીનાથ સ્વામી દ્વારા કથાવાર્તા નો લાભ પ્રાપ્ત થયો હતો તેમજ સંસ્થાના વિદ્વાન વક્તા સંત પૂજ્ય *વિવેકનીષ્ઠ* સ્વામીની દિવ્ય સાનિધ્ય દ્વારા સુંદર કથાવાર્તા નો લાભ પ્રાપ્ત થયો હતો.સંતોએ પોતાના વક્તવ્યમાં રક્ષાબંધન પર્વનું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વ સમજાવ્યું હતું.
રાખી ઉત્સવ: સભાના અંતે સંતો દ્વારા તમામ હરિભક્તોને સ્નેહપૂર્વક રાખડી બાંધવામાં આવી હતી, જેનાથી ભક્તોએ આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરી હતી.
ભક્તિમય માહોલ: ધૂન, પ્રાર્થના અને કીર્તનોથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. સભાના અંતે ભગવાનની આરતી અને મહાપ્રસાદ સાથે આ પવિત્ર ઉત્સવની પૂર્ણાહુતિ થઈ હતી.
સંતોના આશીર્વાદ અને રાખડીના પવિત્ર સ્મરણ સાથે હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી.
અહેવાલકર્તા:
હેમંતભાઈ સોની
BAPS સ્વામિનારાયણ મંદિર, દેવગઢ બારીયા.
📲Get App