ગુરુપૂર્ણિમાના પાવન અવસરે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel
ગુરુપૂર્ણિમાના પાવન અવસરે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં આજે મારા મતવિસ્તારના શામળાજી તાલુકા સ્થિત સુપ્રસિદ્ધ લુસડિયા ધામ ખાતે પૂજ્ય સંત સુરમલદાસજીની સમાધિ, ધુણો તથા ભગવાન રામદેવપીરની પ્રતિમાના ભક્તિભાવપૂર્વક દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો.
આ અવસરે સંત સુરમલદાસજીની છઠ્ઠી પેઢીના વારસદાર પૂજ્ય સંતોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું તેમજ સંતો અને ભક્તજનો સાથે આત્મીય સંવાદ કર્યો.
લુસડિયા ધામ આદિવાસી સમાજની આસ્થા અને સંસ્કૃતિનું મહત્વનું તીર્થસ્થાન છે. ગુરુપૂર્ણિમાના આ પાવન પર્વે ગુરુ પરંપરાના આદર્શોને જીવનમાં આત્મસાત કરીને સમાજ અને રાષ્ટ્રની સેવા માટે વધુ સમર્પિત બનવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
આ અવસરે સંત સુરમલદાસજીની છઠ્ઠી પેઢીના વારસદાર પૂજ્ય સંતોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું તેમજ સંતો અને ભક્તજનો સાથે આત્મીય સંવાદ કર્યો.
લુસડિયા ધામ આદિવાસી સમાજની આસ્થા અને સંસ્કૃતિનું મહત્વનું તીર્થસ્થાન છે. ગુરુપૂર્ણિમાના આ પાવન પર્વે ગુરુ પરંપરાના આદર્શોને જીવનમાં આત્મસાત કરીને સમાજ અને રાષ્ટ્રની સેવા માટે વધુ સમર્પિત બનવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.