🔥 ट्रेंडिंग पंजाब पुलिस ने रिपोर्ट की: फ़ार्मास्यू... एआई प्रशिक्षण के लिए मेटा की कर्मचारी... आरा जिला चरपोखरी थाना क्षेत्र के अमोरज... સુરતથી નવી મુંબઈ જતી એર ઇન્ડિયા એક્સપ્... पश्चिम बंगाल ने 252 मदरसों को बंद करने... आरा जिला चरपोखरी थाना क्षेत्र के अमोरज...
13 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યકક્ષાની ઉજવણી: ₹403 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
स्थानीय

અમરેલીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યકક્ષાની ઉજવણી: ₹403 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 15 अग. 2026, 10:12 AM 👁 33
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ₹403 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું.

80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ અમરેલી ખાતે રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અધ્યક્ષસ્થાને અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિ રહી. આ અવસરે અમરેલી જિલ્લામાં કુલ અંદાજે ₹403 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યા. આ ઉપરાંત, અમરેલી જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ કાર્યો માટે કુલ ₹10 કરોડની ફાળવણી પણ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ દરમિયાન, રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી દ્વારા અમરેલી જિલ્લાના વિશિષ્ટ પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું. સાથે જ, અમરેલી જિલ્લાના વણથંભ્યા વિકાસ, પ્રવાસન, તીર્થક્ષેત્રો અને વિભૂતિઓની માહિતી દર્શાવતી 'વિકાસ વાટિકા’ તથા ‘અમીધારા અમરેલી’ નામની કોફી ટેબલ બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું.

મુખ્યમંત્રીશ્રીએ સૌને 80મા સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવી જણાવ્યું કે, અમરેલી જિલ્લો અનેક વિભૂતિઓની જન્મભૂમિ અને કર્મભૂમિ હોવાની સાથે સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ મહત્વનું યોગદાન ધરાવે છે. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાષ્ટ્રીય પર્વોને લોકભાગીદારીથી લોકઉત્સવ તરીકે ઉજવવાની નવી પરંપરાનો ઉલ્લેખ કર્યો. મુખ્યમંત્રીશ્રીએ 'વિકસિત ભારત 2047'ના સંકલ્પને સાકાર કરવા માટે 'વિકસિત ગુજરાત માટે વિકસિત અમરેલી' બનાવવા સૌને સંકલ્પબદ્ધ થવા આહવાન કર્યું.

રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી, અન્ય મહાનુભાવો અને આમંત્રિતોની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા 'અમૃત ગાથા અમરેલી' નામનો ભવ્ય મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ પ્રસ્તુત કરવામાં આવ્યો.
📲Get App