🔥 TRENDING ધોરાજી નજીક ટ્રકમાંથી ₹૨.૨૪ લાખનો ઈંગ્... રેસ્ટોરાંની રોટલીમાંથી માખી નીકળતાં રૂ... कुंडईम: सांसद कैप्टन विरियातो फर्नांडि... જામનગરના મયુરનગર વિસ્તારમાં આવાસના મકા... મહિસાગરના કાઠબામાં DySP કમલેશ વસાવાની... બોડેલીમાં 'સાડી દોડ'નું આયોજન: મહિલાઓએ...
21 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ભાવનગરમાં નકલી દારૂકાંડમાં સત્તાવાર મોતનો આંકડો 7 પર પહોંચ્યો

✍️ Reporter: Makvana Jaydip 🗓 20 Aug 2026, 12:20 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાવનગરમાં ડુપ્લીકેટ ઇંગ્લિશ દારૂકાંડમાં વધુ એક વ્યક્તિનું મોત થતાં સત્તાવાર મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે.

જયેશભાઈ જીતુભાઈ ભટ્ટીને શંકાસ્પદ હાલતમાં ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ગત મોડી રાત્રે તેમનું મૃત્યુ થયું હતું.

મૃતક જયેશભાઈ ભટ્ટીની અંતિમવિધિ સિંધુનગર ખાતે કરવામાં આવી હતી. અંતિમવિધિમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

ભાવનગરમાં સામે આવેલા નકલી દારૂકાંડ બાદ હજુ પણ કેટલાક લોકો સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. જેના કારણે આગામી સમયમાં મૃત્યુઆંકમાં વધુ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

પોલીસ અને તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
📲Get App