Crime
રખિયાલમાં નકલી તિરુપતિ કપાસિયા તેલનો કૌભાંડ: 44 ડબ્બા જપ્ત, વેપારી સામે કેસ
રખિયાલમાં ઘાણી ટ્રેડર્સમાંથી નકલી તિરુપતિ કપાસિયા તેલના 44 ડબ્બા જપ્ત થયા અને વેપારી અમિત કુશવાહ સામે કૉપિરાઇટ અધિનિયમ હેઠળ કેસ નોંધાયો.
રખિયાલ પોલીસને એન.કે. પ્રોટીન્સ કંપની (તિરુપતિ તેલ)ના માર્કેટિંગ સ્ટાફ ભૂષણ દાણીની માહિતી અને ફરિયાદ મળ્યા બાદ ઘાણી ટ્રેડર્સ (Ghaniwala Traders)માં દરોડો લગાવ્યો. તપાસમાં 44 ડબ્બા નકલી તિરુપતિ કપાસિયા તેલના મળી આવ્યા, દરેકની કિંમત આશરે ₹2,850, કુલ મૂલ્ય લગભગ ₹1.25 લાખ.
વેચારી અમિત કુશવાહ (રહેવાસી: ત્રિકમલાલ ભોગીલાલની ચાલી, રખિયાલ) ભંગારના ફેરિયા અને ડેલાઓ પાસેથી ખાલી તિરુપતિ તેલના ડબ્બા ખરીદી, તેમાં અન્ય કંપનીનું સસ્તું તેલ ભરીને ડુપ્લિકેટ સીલ, સ્ટીકર અને બારકોડ લગાવી મૂળ બ્રાન્ડના ભાવમાં વેચતો હતો. તપાસમાં તમામ સીલ નકલી સાબિત થયા.
પોલીસે કૉપિરાઇટ એક્ટ હેઠળ અમિત કુશવાહ સામે ગુનો નોંધ્યો છે અને કૌભાંડની સંપૂર્ણ તપાસ ચાલુ છે. આ કિસ્સો નકલી પનીર, નકલી ઘી અને નકલી હિંગ બાદ હવે નકલી કપાસિયા તેલના કૌભાંડને પ્રકાશમાં લાવે છે.
વેચારી અમિત કુશવાહ (રહેવાસી: ત્રિકમલાલ ભોગીલાલની ચાલી, રખિયાલ) ભંગારના ફેરિયા અને ડેલાઓ પાસેથી ખાલી તિરુપતિ તેલના ડબ્બા ખરીદી, તેમાં અન્ય કંપનીનું સસ્તું તેલ ભરીને ડુપ્લિકેટ સીલ, સ્ટીકર અને બારકોડ લગાવી મૂળ બ્રાન્ડના ભાવમાં વેચતો હતો. તપાસમાં તમામ સીલ નકલી સાબિત થયા.
પોલીસે કૉપિરાઇટ એક્ટ હેઠળ અમિત કુશવાહ સામે ગુનો નોંધ્યો છે અને કૌભાંડની સંપૂર્ણ તપાસ ચાલુ છે. આ કિસ્સો નકલી પનીર, નકલી ઘી અને નકલી હિંગ બાદ હવે નકલી કપાસિયા તેલના કૌભાંડને પ્રકાશમાં લાવે છે.