🔥 ट्रेंडिंग जम्मू-कश्मीर के लेफ्टिनेंट गवर्नर का प... जम्मू-कश्मीर में 1 सितंबर से बिजली टैर... LG सिन्हा ने नई दिल्ली में पीएम मोदी स... केंद्र ने गोवा में टाईम‑ऑफ़‑डे बिजली ट... बॉलीवुड स्टार अर्जुन रम्पाल ने गोवा मे... गोवा सरकार ने कैंसर को सूचित रोग घोषित...
22 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

નખત્રાણામાં ભંગારના ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ: એક જ પરિવારના બે ભાઈ અને બે બાળકો સહિત 4 ના મોત

✍️ रिपोर्टर: Hanifbhai mahammadbhai jadav 🗓 22 अग. 2026, 08:46 PM 👁 3
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નખત્રાણા-ભુજ હાઇવે પર આવેલ ભંગારના વાડામાં થયેલા જોરદાર ધડાકામાં એક જ પરિવારના ચાર સભ્યોએ જીવ ગુમાવ્યા છે.

નખત્રાણાની ભાગોળે સંત કૃપા હોટલ પાછળ આવેલા ભંગારના વાડામાં આજે બપોરે એક ભયાનક બ્લાસ્ટ થયો હતો. આ ગોઝારી ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. બ્લાસ્ટનો અવાજ એટલો તીવ્ર હતો કે આસપાસના વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતા જ નખત્રાણા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ, મૃતકોમાં બે સગા ભાઈઓ અને બે માસૂમ બાળકોનો સમાવેશ થાય છે. મૃતકોમાં કુંભાર મામદ (ઉ.વ. 30), કુંભાર નૂર મામદ (ઉ.વ. 26), કુંભાર હુસેન (ઉ.વ. 3) અને નૂર ફાતિમા (ઉ.વ. 3) નો સમાવેશ થાય છે.

એક જ પરિવારના બે યુવાન ભાઈઓ અને બે નાના બાળકોના એકસાથે મોતથી પરિવારમાં કાળો કલ્પાંત છવાઈ ગયો છે. આ બ્લાસ્ટ કયા કારણોસર થયો હતો, તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલ પોલીસ દ્વારા ઘટનાસ્થળે ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
📲Get App