🔥 TRENDING Centre Highlights Time‑of‑Day Power Ta... Bollywood Star Arjun Rampal Ties Knot... Goa Government Classifies Cancer as a... Monsoon Expected to Intensify Across I... Elephant ‘Joymoti’, flood survivor, ai... Centre approves use of 1965 law for NH...
22 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ખેડાના હડમતીયા ગામે આવેલું પૌરાણિક હનુમાન મંદિર: ભક્તોની આસ્થાનું કેન્દ્ર

Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખેડા જિલ્લાના હડમતીયા ગામે આવેલું પૌરાણિક હનુમાનજીનું મંદિર ભક્તોની આસ્થાનું પ્રતીક છે, જ્યાં હાલમાં ભવ્ય નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના હડમતીયા ગામે હનુમાનજી દાદાનું એક પૌરાણિક મંદિર આવેલું છે. આ ગામના નામકરણ પાછળ પણ એક રસપ્રદ ઇતિહાસ છે; ગામમાં વસવાટ શરૂ થયો તે પહેલાથી જ અહીં સ્વયંભૂ હનુમાન દાદાની મૂર્તિ બિરાજમાન હતી, જેના કારણે આ ગામનું નામ હડમતીયા રાખવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.

હાલમાં આ પૌરાણિક મંદિરનું ભવ્ય નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. મંદિરના બાંધકામમાં ખાસ પ્રકારના રેડ સ્ટોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે મંદિરની ભવ્યતામાં વધારો કરી રહ્યો છે. આ મંદિરનો મહિમા અનેરો હોવાથી અહીં આવતા ભક્તજનોની મનોકામનાઓ પૂર્ણ થતી હોવાની લોકવાયકા છે.

આ મંદિરનું સમગ્ર સંચાલન 'જય બજરંગ બલી ચેરીટેબલ ટ્રસ્ટ, હડમતીયા' દ્વારા કરવામાં આવે છે. દર શનિવાર અને મંગળવારના રોજ અહીં હનુમાનજી દાદાના દર્શન કરવા માટે દૂર-દૂરથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે.
📲Get App