🔥 TRENDING Haryana Assembly Opens Monsoon Session... Haryana Athletes Receive Rs 14 Cr Rewa... Haryana Flags Delay in Cleanliness Fun... IGKV Launches Probe into Alleged Genet... Police Probe Requested Over Paper Leak... Punjab CM Distributes Appointment Lett...
27 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમદાવાદ પશ્ચિમ રેલવેમાં ખોરાકની ગુણવત્તા તપાસમાં 15 કિચન પર કાર્યવાહી, 40 લાખ દંડ અને એક કિચન બંધ

✍️ Reporter: Shahid Mansuri 🗓 27 Aug 2026, 01:44 PM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ ડીઆરએમની રેલવે ફૂડ વિજિલન્સ ફોર્સએ 15 બેઝ કિચન અને કેટરિંગ યુનિટ્સની તપાસ કરી, ખોરાકમાં સડેલા બટેટા, એક્સપાયર થયેલી વસ્તુઓ અને સફાઈની ગંભીર બેદરકારી મળી, જેના પરિણામે 40 લાખનો દંડ અને એક કિચનને સ્થળ પર જ સીલ કરીને બંધ કરાયું.

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં મુસાફરોને શુદ્ધ, સ્વચ્છ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભોજન મળી રહે તે માટે 'ઝીરો ટોલરન્સ' નીતિ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ડીઆરએમ દ્વારા તૈયાર કરાયેલી ખાસ 'રેલવે ફૂડ વિજિલન્સ ફોર્સ'એ અમદાવાદ સહિત વિવિધ વિસ્તારોમાં રેલવેને ખોરાક પૂરો પાડતા 15 બેઝ કિચન અને કેટરિંગ એકમો પર દરોડા પાડ્યા.

તપાસમાં વિવિધ બેઝ કિચનમાંથી મોટાપાયે એક્સપાયર થયેલી વસ્તુઓ, સડેલા બટેટા, વાસણ ધોવાના પાઉડરનો અભાવ અને માખીનો ઉપદ્વવ જોવા મળ્યો. સાથે સાથે સફાઈ અને સ્વચ્છતાના નિયમોની ગંભીર બેદરકારી પણ નોંધાઈ.

નિયમોનું ઉલ્લંઘન કરનારા દોષિત કેટરર્સને 40 લાખનો દંડ ફટકારાયો છે, જ્યારે અત્યંત ગંદકી ધરાવતા સરસપુરના એક બેઝ કિચનને સ્થળ પર જ સીલ કરીને બંધ કરાવાયું છે. આ પગલાઓ દ્વારા મુસાફરોને સુરક્ષિત અને સ્વચ્છ ભોજન સુનિશ્ચિત કરવાનો ઉદ્દેશ્ય છે.
📲Get App