🔥 TRENDING રાજકોટના ધોરાજી તાલુકામાં 964 ગ્રામ ગા... વડાલી પોલીસે નાસતા ફરતા 36 વર્ષીય અર્જ... વડોદરા માંજલપુરમાં શાકમાર્કેટ પાસે લાર... દાહોદ નજીક ઈન્દોર-અમદાવાદ હાઈવે પર બે... ઈડરના શમલાપુરમાં અંધશ્રદ્ધાના કારણે 8... રાજકોટના ધોરાજીમાં SOGએ 964 ગ્રામ ગાંજ...
25 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દિયોદર નીલકંઠ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે 108 દીવાની ભવ્ય મહા આરતી કરી

✍️ Reporter: Lalabhai D Darji 🗓 25 Aug 2026, 12:26 PM 👁 10
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હર હર મહાદેવ’ના નાદથી ગુંજ્યું દિયોદર

દિયોદર નીલકંઠ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે 108 દીવાની ભવ્ય મહા આરતી કરી

હજારો ભક્તો ઉમટ્યા — ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજ્યું દિયોદર

દિયોદર : પવિત્ર શ્રાવણ માસના સોમવારે દિયોદરના પ્રસિદ્ધ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે 108 દીવાની ભવ્ય મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. શેષનાગની પ્રતિકૃતિ સાથે 108 દીવાઓથી કરવામાં આવેલી મહા આરતીના દિવ્ય અને અદભૂત દર્શન કરી ભક્તો ભાવવિભોર બન્યા હતા. આ દિવ્ય પ્રસંગે દિયોદર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મહિલા ભક્તો સહિત હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સમગ્ર મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ ભગવાન નીલકંઠ મહાદેવના દર્શન અને મહા આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

મંદિરના પૂજારી અરવિંદગીરી ગૌસ્વામી, વિક્રમગીરી ગૌસ્વામી અને પારસગીરી ગૌસ્વામી દ્વારા મહા આરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. રામજી મંદિરના પૂજારી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી દ્વારા ભગવાન નીલકંઠ મહાદેવની આરતી ઉતારવામાં આવી હતી.

આ પ્રસંગે દિયોદરના રાજવી દિલીપસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન નીલકંઠ મહાદેવની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત નગરજનોએ ભક્તિભાવપૂર્વક મહાદેવના દર્શન કરી પવિત્ર શ્રાવણ સોમવારની ઉજવણી કરી હતી. મહા આરતી બાદ ઉપસ્થિત તમામ ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
📲Get App