જેતપુર: નવાગઢ રેલવે સ્ટેશન પાસે ST બસે કારને પાછળથી મારી ટક્કર, કારનો કચ્ચરઘાણ; સદનસીબે જાનહાની ટળી
Watch on:
▶️ YouTube
જેતપુરના નવાગઢ રેલવે સ્ટેશન નજીક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. નવાગઢ રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહેલી એક ફોર વ્હીલ કારને ગુજરાત એસ.ટી. બસે પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કારને ભારે નુકસાન પહોંચ્યું છે, જોકે રાહતના સમાચાર એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અને તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.