🔥 TRENDING धमतरी में तेंदुए का हमला, दो ग्रामीण घ... Odisha CM: Mahanadi Dispute To End Odisha Floods: Kani River Breach Odisha Voters Get Extra Time Adani CNG Price Hike India To Fix Crumbling Roads
01 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામમાં પાણી ભરાવાના કારણે નાળા તોડી રસ્તો બંધ, ચીફ ઓફિસરે કર્યું સ્થળ નિરીક્ષણ
National

વિરમગામમાં પાણી ભરાવાના કારણે નાળા તોડી રસ્તો બંધ, ચીફ ઓફિસરે કર્યું સ્થળ નિરીક્ષણ

✍️ Reporter: Jignesh chavda 🗓 01 Aug 2026, 08:47 PM 👁 28

વિરમગામમાં ભારે વરસાદ બાદ પાણી જવાનો માર્ગ બનાવવા માટે નાળા તોડવામાં આવતા સ્થાનિકો માટે અવરજવર મુશ્કેલ બની છે. નગરપાલિકાના ચીફ ઓફિસરે સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું.

વિરમગામ શહેરમાં ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં નાળા તોડવાની ફરજ પડી હતી. જેના કારણે સ્થાનિક રહેવાસીઓ માટે અવરજવરનો રસ્તો બંધ થઈ ગયો છે અને દૈનિક અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ મામલે વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસરે IOC કોલોનીથી સ્વામિનારાયણ મંદિર સુધી સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને સ્થાનિકોની રજૂઆતો સાંભળી. રહેવાસીઓએ તૂટેલા નાળાનું વહેલી તકે સમારકામ કરીને અવરજવર માટેનો રસ્તો ફરી શરૂ કરવાની માંગ કરી છે.
📲Get App