National
વિરમગામમાં પાણી ભરાવાના કારણે નાળા તોડી રસ્તો બંધ, ચીફ ઓફિસરે કર્યું સ્થળ નિરીક્ષણ
વિરમગામમાં ભારે વરસાદ બાદ પાણી જવાનો માર્ગ બનાવવા માટે નાળા તોડવામાં આવતા સ્થાનિકો માટે અવરજવર મુશ્કેલ બની છે. નગરપાલિકાના ચીફ ઓફિસરે સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું.
વિરમગામ શહેરમાં ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં નાળા તોડવાની ફરજ પડી હતી. જેના કારણે સ્થાનિક રહેવાસીઓ માટે અવરજવરનો રસ્તો બંધ થઈ ગયો છે અને દૈનિક અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ મામલે વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસરે IOC કોલોનીથી સ્વામિનારાયણ મંદિર સુધી સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને સ્થાનિકોની રજૂઆતો સાંભળી. રહેવાસીઓએ તૂટેલા નાળાનું વહેલી તકે સમારકામ કરીને અવરજવર માટેનો રસ્તો ફરી શરૂ કરવાની માંગ કરી છે.
આ મામલે વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસરે IOC કોલોનીથી સ્વામિનારાયણ મંદિર સુધી સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને સ્થાનિકોની રજૂઆતો સાંભળી. રહેવાસીઓએ તૂટેલા નાળાનું વહેલી તકે સમારકામ કરીને અવરજવર માટેનો રસ્તો ફરી શરૂ કરવાની માંગ કરી છે.