🔥 ट्रेंडिंग નર્મદા જિલ્લામાં ભારે વરસાદથી પ્રભાવિત... ઠાસરા વિધાનસભા વિસ્તારમાં ખાખરીયા તળાવ... ભારતીય ક્રિકેટ ટીમના શ્રીલંકા પ્રવાસનો... રોટલી ખાવાનો સાચો સમય અને સ્વાસ્થ્ય મા... શ્રી સંજયકુમાર તુલસીદાસ અનડાને વિદ્યુત... નર્મદા જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે 101...
01 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભારે વરસાદથી કંથરપુરા–રેગણ માર્ગ પર નાળાનું ધોવાણ, ગ્રામજનોમાં ચિંતા

ભારે વરસાદથી કંથરપુરા–રેગણ માર્ગ પર નાળાનું ધોવાણ, ગ્રામજનોમાં ચિંતા

✍️ रिपोर्टर: Bhailalbhai Baria 🗓 01 अग. 2026, 03:12 PM 👁 49
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કંથરપુરાથી રેગણ ગામને જોડતા માર્ગ પર ભારે વરસાદના કારણે કંથરપુરા નજીક આવેલા કોતરમાંથી પાણીના ભારે પ્રવાહથી નાળાનું ધોવાણ થયું છે. જેના કારણે રસ્તાની સાઇડ ધસી રહી છે અને માર્ગ બંધ થવાનો ભય સર્જાયો છે.
આ માર્ગ બંધ થાય તો રેગણ કોલોની, રેગણ, વાસણ, વાસણ કોલોની અને વિરપુર સહિતના ગામોના લોકો માટે અવરજવરમાં ભારે મુશ્કેલી ઊભી થઈ શકે છે. ખાસ કરીને શાળા જતા વિદ્યાર્થીઓ, નોકરી-ધંધા માટે જતા લોકો તેમજ ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
ગ્રામજનોએ સંબંધિત વિભાગને તાત્કાલિક સ્થળની તપાસ કરી નાળાનું મજબૂત સમારકામ કરાવવા તેમજ ભવિષ્યમાં આવી સમસ્યા ન સર્જાય તે માટે કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે.
📲Get App