🔥 TRENDING নয়াগ্রাম বিধান সভার বলদি স্কুলে ভারতী... Air India Flight Declares Emergency La... US diplomat quietly expelled from UK a... જુગાર રમતા 24 શખ્સોને ઝડપી પાડતી નળ સ... Mumbai Court Sentences Man to 1-Year J... Ganesh Idol Falls on Devotees During N...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુરુપૂર્ણિમાના પાવન પર્વે શામળાજી મંદિરે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુરુપૂર્ણિમાના પાવન પર્વે શામળાજી મંદિરે

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 29 Jul 2026, 02:54 PM 👁 42
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજ્યના સર્વાંગી વિકાસ, સુખ-સમૃદ્ધિ-શાંતિ અને જનકલ્યાણ માટે પ્રાર્થના...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુરુપૂર્ણિમાના પાવન પર્વે શામળાજી મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી; સૌને ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી...

મુખ્યમંત્રીશ્રીએ ગુરુ તત્ત્વના મહત્ત્વને યાદ કરાવતા જણાવ્યું હતું કે, ગુરુની કૃપા અને આશીર્વાદથી જ જીવનમાં સાચો માર્ગ મળે છે...

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુરુપૂર્ણિમાના પવિત્ર પર્વે મેશ્વો નદીના કિનારે સ્થિત આ પ્રાચીન વૈષ્ણવ તીર્થમાં ભગવાન વિષ્ણુના ગદાધર સ્વરૂપ શામળાજીના દર્શનનું વિશેષ મહત્ત્વ છે. હિન્દુ પરંપરામાં ગુરુપૂર્ણિમા એ ગુરુ તત્ત્વને સમર્પિત પવિત્ર તહેવાર છે. ભગવાન શામળાજીને અનેક ભક્તો પોતાના આરાધ્ય દેવ અને ગુરુ તરીકે પૂજે છે. આ દિવસે ભગવાનના દર્શન કરવાથી ભક્તોને વિશેષ પુણ્ય અને આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થાય છે તેવી માન્યતા છે...
📲Get App