National
લુણાવાડા તાલુકામાં ખોડલ રથ પરિભ્રમણ યાત્રા નું આગમન
ખોડલ દશાબદી મહોત્સવ અંતર્ગત ખોડલધામ થી નીકળેલી રથ પરિભ્રમણ યાત્રા આજરોજ લુણાવાડા તાલુકાના ગામોમાં આવેલ પહોંચી હતી લુણાવાડા તાલુકાના 42 પાટીદાર સમાજ અને 52 પાટીદાર સમાજ ના ગામોમાં આ રથયાત્રા પસાર થયેલ હતી આજરોજ આ રથયાત્રા મેળજીના મુવાડા ગામે આવી પહોંચતા ગ્રામજનો અને ભક્તજનો દ્વારા ખોડલ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામના વિવિધ માર્ગો પર રથની યાત્રા નીકળેલ હતી અને ત્યારબાદ આ રથ પોતાના નિર્ધારીત રૂટ મુજબ આગળના ગામોમાં જવા માટે રવાના થયેલ હતું