स्थानीय
રાષ્ટ્રીય કિસાન ન્યાય સમિતિએ થાણાપીપળીમાં ખેડૂતોને ખેતપેદાશોના યોગ્ય ભાવ માટે જાગૃત કર્યા
રાષ્ટ્રીય કિસાન ન્યાય સમિતિની સભામાં શ્રી કમલેશભાઈ પાનસુરીયા અને શ્રી રમેશભાઈ સોદરવાએ ખેડૂતોને ખેતપેદાશોના અપુરતા ભાવ વિશે જાગૃત કર્યા અને તેમને સરકાર સમક્ષ યોગ્ય ભાવની માંગ કરવા પ્રોત્સાહિત કર્યા.
રાષ્ટ્રીય કિસાન ન્યાય સમિતિએ વંથલી તાલુકાના થાણાપીપળી ગામમાં ખેડૂતોને જાગૃત કરવા માટે સભાનું આયોજન કર્યું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રી કમલેશભાઈ પાનસુરીયા અને વંથલી તાલુકા કિસાન ન્યાય સમિતિના પ્રમુખ શ્રી રમેશભાઈ સોદરવાએ વિશેષ ઉપસ્થિત રહ્યા.
સભામાં ખેડૂતોને ખેતપેદાશોના અપુરતા ભાવ અંગે જાગૃત કરવામાં આવ્યા. વક્તાઓએ જણાવ્યું કે સોનું અને ડીઝલ જેવા કુદરતી સંસાધનો જમીનમાંથી પ્રાપ્ત થાય છે, ત્યારે ખેડૂતો દ્વારા જમીનમાં મહેનત કરીને ઉગાડવામાં આવતી ખેતપેદાશોને પણ યોગ્ય અને વાજબી ભાવ મળવો જોઈએ.
આ પ્રસંગે ખેડૂતોને અપીલ કરવામાં આવી કે તેઓ પોતાના મતથી ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓને પત્ર લખીને ખેતપેદાશોના યોગ્ય ભાવના મુદ્દે સરકાર સમક્ષ અસરકારક રજૂઆત કરે અને ખેડૂતોના હિતમાં અવાજ ઉઠાવે.
સભામાં ખેડૂતોને ખેતપેદાશોના અપુરતા ભાવ અંગે જાગૃત કરવામાં આવ્યા. વક્તાઓએ જણાવ્યું કે સોનું અને ડીઝલ જેવા કુદરતી સંસાધનો જમીનમાંથી પ્રાપ્ત થાય છે, ત્યારે ખેડૂતો દ્વારા જમીનમાં મહેનત કરીને ઉગાડવામાં આવતી ખેતપેદાશોને પણ યોગ્ય અને વાજબી ભાવ મળવો જોઈએ.
આ પ્રસંગે ખેડૂતોને અપીલ કરવામાં આવી કે તેઓ પોતાના મતથી ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓને પત્ર લખીને ખેતપેદાશોના યોગ્ય ભાવના મુદ્દે સરકાર સમક્ષ અસરકારક રજૂઆત કરે અને ખેડૂતોના હિતમાં અવાજ ઉઠાવે.