🔥 TRENDING डोर-टू-डोर अभियान चलाकर बकाया विद्युत... Punjab Government Grants 8% Dearness A... Punjab Truck Driver Sentenced to Death... Assam CM Urges West Bengal Govt to Pro... Assam Launches Nationwide School Hacka... SpiceJet flights disrupted at Delhi's...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વૌવા ગામે ભાદરવા સુદ આઠમના પાવન દિવસે રવેચી માતાજીનો પરંપરાગત “મતિરા મેળો” યોજાશે

✍️ Reporter: Makrani ikbal 🗓 19 Sep 2026, 03:42 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વૌવા ગામે ભાદરવા સુદ આઠમના પાવન દિવસે રવેચી માતાજીનો પરંપરાગત “મતિરા મેળો” યોજાશે
સાંતલપુર તાલુકાના વૌવા ગામે આજે ભાદરવા સુદ આઠમના પાવન દિવસે રવેચી માતાજીનો પરંપરાગત મેળો ભરાશે. લોકવાયકા મુજબ વૌવા ગામે ભરાતા આ મેળાને વર્ષોથી “મતિરા મેળા” તરીકે ઓળખવામાં આવે છે. આધુનિક યુગમાં પણ આ પરંપરા ગ્રામજનોની શ્રદ્ધા અને આસ્થા સાથે જળવાઈ રહી છે.
આઠમના દિવસે વૌવા ગામ તેમજ આજુબાજુના ગામોના મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રવેચી માતાજીના દર્શનાર્થે પહોંચશે. ભક્તો માતાજીના દર્શન કરી પ્રસાદનો લાભ લેશે. નાના બાળકો, યુવાનો અને વડીલોની ઉપસ્થિતિથી મેળામાં અનેરો ઉત્સાહ જોવા મળશે.
મેળા દરમિયાન ભક્તો અને ગ્રામજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કોઈપણ પ્રકારના ઝઘડા કે અશાંતિની સ્થિતિ ઊભી ન થાય તે માટે વૌવા યુવક મંડળ તથા ગ્રામજનો દ્વારા સાંતલપુર પોલીસ સ્ટેશનને અરજી પત્ર આપી જરૂરી સુરક્ષા વ્યવસ્થા રાખવા રજૂઆત કરવામાં આવી છે.
વૌવા યુવક મંડળ દ્વારા ગ્રામજનો અને મેળામાં આવતા તમામ ભાવિક ભક્તોને શાંતિપૂર્ણ રીતે મેળાની ઉજવણી કરવા, એકબીજાને સહકાર આપવા અને પોલીસ તથા આયોજકોની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
રવેચી માતાજીના મેળા થકી વર્ષો જૂની લોકપરંપરા અને ધાર્મિક આસ્થા આજે પણ જીવંત જોવા મળી રહી છે. ભક્તોની શ્રદ્ધા, ગ્રામજનોનો સહકાર અને યુવક મંડળની વ્યવસ્થાથી વૌવા ગામનો પરંપરાગત મેળો આસ્થાનું કેન્દ્ર બનશે.
વૌવા યુવક મંડળ તથા સમસ્ત ગ્રામજનો
📲Get App