🔥 TRENDING Sikkim High Court Files Climate Justic... Khandelwal slams Rahul Gandhi's 'Stude... Mohan Yadav slams Rahul Gandhi's Indor... સુરતના ચોકબજારમાં સી.એન.આઇ. ક્રાઇસ્ટ ચ... સુરત શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર... મંડવી તાલુકાની નંદપોર-2 પ્રાથમિક શાળામ...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ભૂપેન્દ્ર પટેલે સાબરમતી જેલમાં મુલાકાત કરી કેદીઓ સાથે સંવાદ અને કૌશલ્ય વિકાસ પર ભાર..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 19 Sep 2026, 09:50 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં સાબરમતી મધ્યસ્થ જેલની મુલાકાત લીધી, કેદીઓ સાથે ભજન સાંભળ્યું અને કૌશલ્ય વિકાસ કેન્દ્રોનું નિરીક્ષણ કર્યું..

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં સાબરમતી મધ્યસ્થ જેલની મુલાકાત કરી,જે જનસેવા સાધના અને સુશાસનનાં 25 વર્ષના યોજાઈ રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત લેવામાં આવેલ પગલાંમાંનું એક છે.જેલમાં તેમણે કેદીઓ સાથે સહજ સંવાદ કર્યો અને ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ ભજનનું શ્રવણ કર્યું,જેમાં દર્શાવેલા મૂલ્યોનું અનુસરણ કરી સાચા અર્થમાં વૈષ્ણવજન બનવા અને સંયમના માર્ગે ચાલવા અનુરોધ કર્યો.મુખ્યમંત્રીએ ઉમેર્યું કે વડાપ્રધાન સમગ્ર દેશને પોતાનો પરિવાર માને છે અને રાજ્ય સરકાર દ્વારા કેદીઓને જરૂરી સુવિધાઓ મળતી રહે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.આ અવસરે તેમણે કેદીઓને ફળોનું વિતરણ કર્યું, જેનાથી જેલમાં માનવીયતા અને સહાનુભૂતિની ભાવના વધારી..

જેલમાં મુખ્યમંત્રીએ કેદીઓના કૌશલ્ય વિકાસ માટે કાર્યરત કોમ્પ્યુટર સેન્ટર, સુથારીકામ, વણાટકામ અને બુક બાઇન્ડિંગ સેન્ટરની મુલાકાત લીધી. તેમણે વિવિધ પ્રવૃત્તિઓની જાણકારી મેળવી અને જેલમાં બનાવવામાં આવેલી વસ્તુઓની ખરીદી પણ કરી, જે કેદીઓની રોજગાર ક્ષમતા વધારવામાં મદદરૂપ થશે.આ ઉપરાંત મુખ્યમંત્રીએ આઝાદીની લડત દરમિયાન સરદાર પટેલ, ઝવેરચંદ મેઘાણી, અબ્બાસ તૈયબજી,રવિશંકર મહારાજ અને રસિકલાલ પરીખ જેવા મહાનુભાવોએ સાબરમતી મધ્યસ્થ જેલમાં નિવાસ કરેલા ઓરડાઓની મુલાકાત લીધી,જે જેલની ઐતિહાસિક મહત્વને ઉજાગર કરે છે.
📲Get App