🔥 ट्रेंडिंग સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સાયબર સુરક્... ભાભર પંથકમાં લોકલાડીલા ગુજ્જુ લાવગુરુન... અમદાવાદ પોલીસની કડક સર્ચ ઓપરેશન, ઝોન‑4... शेकडो दिव्यांग बांधवांचे अनुदान रखडले,... सफ़दरजंग अस्पताल में दवा सुरक्षा जागरू... दिल्ली पुलिस ने दो घंटों में लूट का खु...
17 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ભાદરવી પૂનમ મહામેળા માટે હિંમતનગરમાં વન-વે ટ્રાફિક વ્યવસ્થા..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 17 सित. 2026, 05:40 PM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠામાં ભાદરવી પૂનમ મહામેળાની પદયાત્રીઓની સુરક્ષા માટે 19 થી 26 સપ્ટેમ્બર સુધી હિંમતનગર-મહેતાપુરા-ખેરોજ પુલ માર્ગ પર વન-વે ટ્રાફિક વ્યવસ્થા અમલમાં રહેશે..

સાબરકાંઠામાં-:
19 સપ્ટેમ્બર થી 26 સપ્ટેમ્બર 2026 સુધી હિંમતનગરના મહેતાપુરાથી ખેરોજ પુલ સુધીના માર્ગ પર વન-વે ટ્રાફિક વ્યવસ્થા અમલમાં રહેશે. મહેતાપુરા થી ખેરોજ પુલ સુધી હિંમતનગરથી જતા માર્ગની ડાબી બાજુના હાઇવે પર નાના-મોટા તમામ વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે, જ્યારે જમણી બાજુનો માર્ગ ખુલ્લો રહેશે.ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી અને ખેડબ્રહ્મા તરફ મોટી સંખ્યામાં પદયાત્રીઓ નીકળતા હોવાથી અકસ્માત ટાળવા અને ટ્રાફિક સુચારૂ રાખવા આ નિર્ણય લેવાયો છે. સરકારી કામગીરીના વાહનો તેમજ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડને આ નિયંત્રણમાંથી મુક્તિ આપવામાં આવી છે..

જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે.આ પગલાંથી પદયાત્રીઓની સુરક્ષા અને માર્ગ વ્યવસ્થાને સુનિશ્ચિત કરવાનો ઉદ્દેશ છે.
📲Get App