Health
અમદાવાદ: મણિનગરની એલ.જી. હોસ્પિટલ ખાતે આધુનિક પોસ્ટમોર્ટમ વિભાગ અને ૧૮ કોલ્ડ સ્ટોરેજ યુનિટ ધરાવતી મોર્ચ્યુરી શરૂ કરાઈ
પૂર્વ અમદાવાદની આરોગ્ય સુવિધાઓને વધુ મજબૂત કરવા માટે મણિનગર સ્થિત શેઠ એલ.જી. હોસ્પિટલ ખાતે આધુનિક પોસ્ટમોર્ટમ વિભાગ અને ૧૮ કોલ્ડ સ્ટોરેજ યુનિટ્સ ધરાવતી નવી મોર્ચ્યુરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
પૂર્વ અમદાવાદના નાગરિકો માટે આરોગ્ય સુવિધાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. મણિનગર સ્થિત શેઠ એલ.જી. મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલ ખાતે આધુનિક પોસ્ટમોર્ટમ વિભાગ અને ૧૮ કોલ્ડ સ્ટોરેજ યુનિટ્સ ધરાવતી નવી મોર્ચ્યુરી (શવગૃહ) કાર્યરત કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવાયેલા આ નિર્ણયથી સ્થાનિક સ્તરે તબીબી સેવાઓમાં મોટો સુધારો થશે.
આ નવી સુવિધા શરૂ થવાને કારણે હવે સ્થાનિક નાગરિકો અને પોલીસ તંત્રને પોસ્ટમોર્ટમ તેમજ અન્ય જરૂરી મેડિકો-લીગલ (તબીબી-કાનૂની) પ્રક્રિયાઓ માટે દૂરની હોસ્પિટલો સુધી જવાની જરૂર નહીં રહે. આનાથી સમય અને અંતર બંનેની મોટી બચત થશે, તેમજ કાયદાકીય અને તબીબી પ્રક્રિયાઓ વધુ ઝડપી અને સુચારુ રીતે પૂર્ણ કરી શકાશે.
દુઃખની ઘડીમાં મૃતકોના પરિવારજનોને બિનજરૂરી હાલાકીમાંથી રાહત આપવા અને નાગરિકોને વધુ સુવિધાજનક, સંવેદનશીલ અને કાર્યક્ષમ આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે આ વ્યવસ્થા ઊભી કરાઈ છે. આ નવું સોપાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નાગરિકકેન્દ્રી પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ નવી સુવિધા શરૂ થવાને કારણે હવે સ્થાનિક નાગરિકો અને પોલીસ તંત્રને પોસ્ટમોર્ટમ તેમજ અન્ય જરૂરી મેડિકો-લીગલ (તબીબી-કાનૂની) પ્રક્રિયાઓ માટે દૂરની હોસ્પિટલો સુધી જવાની જરૂર નહીં રહે. આનાથી સમય અને અંતર બંનેની મોટી બચત થશે, તેમજ કાયદાકીય અને તબીબી પ્રક્રિયાઓ વધુ ઝડપી અને સુચારુ રીતે પૂર્ણ કરી શકાશે.
દુઃખની ઘડીમાં મૃતકોના પરિવારજનોને બિનજરૂરી હાલાકીમાંથી રાહત આપવા અને નાગરિકોને વધુ સુવિધાજનક, સંવેદનશીલ અને કાર્યક્ષમ આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે આ વ્યવસ્થા ઊભી કરાઈ છે. આ નવું સોપાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નાગરિકકેન્દ્રી પ્રતિબદ્ધતા દર્શાવે છે.