🔥 TRENDING SGPC Suspends Akali Takht Member and D... Shivpuri Liquor Shop Sold Expired Beer... Rahul Gandhi slams Madhya Pradesh heal... Health Dept. Launches Probe into Bikan... BJP wins clear majority in Kota Munici... ‘ગુજ્જુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું બાઇક અક...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચમાં ગણેશ ચતુર્થી પર ‘સાયબર વિનાયક’ ગણેશજીની સ્થાપના..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 17 Sep 2026, 03:58 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચમાં ‘સાયબર વિનાયક’ ગણેશજીની ભક્તિભાવપૂર્વક સ્થાપના કરવામાં આવી..

ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચ ખાતે ‘સાયબર વિનાયક’ ગણેશજીની ભક્તિભાવપૂર્વક સ્થાપના કરવામાં આવી.આ કાર્યક્રમમાં સાયબર સુરક્ષાની મહત્વતા અને ડિજિટલ વિશ્વમાં વિઘ્નો દૂર કરવાની પ્રતીકાત્મકતા દર્શાવવામાં આવી.આ શુભ અવસરે અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી ગણેશ પૂજન અને આરતી કરવામાં આવી. કમિશનરે વિધિપૂર્ણ રીતે ગણેશજીને નમન કરી, ઉપાસનકારો સાથે પ્રાર્થના કરી..

પૂજન દરમિયાન ગણપતિ બાપ્પા સૌના ડિજિટલ અને વાસ્તવિક જીવનમાંથી તમામ વિઘ્નો દૂર કરે અને સાયબર સુરક્ષા માટે સૌને સદબુદ્ધિ અર્પે તેવી મંગલ પ્રાર્થના કરવામાં આવી. ઉપાસનકારોએ ગણપતિ બાપ્પા મોરિયા! કહીને ઉત્સાહ વ્યક્ત કર્યો.આ સ્થાપનાનો હેતુ સાયબર ક્રાઇમ સામે સામૂહિક જાગૃતિ અને સુરક્ષા માટે પ્રેરણા આપવાનો છે, જેથી નાગરિકો અને અધિકારીઓ ડિજિટલ ક્ષેત્રમાં સુરક્ષિત રીતે કાર્ય કરી શકે.
📲Get App