स्थानीय
કોંગ્રેસે કડોદરા ચાર રસ્તા ખાતે મોંઘવારી અને બેરોજગારી વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું
यहाँ देखें:
▶️ YouTube
સુરત જિલ્લાના કડોદરા ચાર રસ્તા ખાતે કોંગ્રેસે ભાજપ સરકારની મોંઘવારી અને બેરોજગારીની નીતિઓ પર વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં ડૉ. સંજુ દીક્ષિત અને અન્ય નેતાઓએ સરકારની વચનોની નિષ્ફળતા પર ભાર મૂક્યો.
આજ કડોદરા ચાર રસ્તા ખાતે કોંગ્રેસે ભાજપ સરકારની મોંઘવારી અને બેરોજગારીની નીતિઓ વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. કાર્યક્રમની શરૂઆતમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.
મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ અને આગેવાનોએ હાથમાં પ્લેકાર્ડ રાખીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ અને સાઉથ ઝોન પ્રભારી ડૉ. સંજુ દીક્ષિતે જણાવ્યું કે 2014માં સત્તા પર આવતા પહેલા સરકારે મોંઘવારી ઘટાડવાના વાયદા કર્યા હતા, જે પોકળ સાબિત થયા છે.
મોંઘવારી એટલી વધી ગઈ છે કે સામાન્ય વર્ગ અને ખાસ કરીને મહિલાઓ માટે ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. રોજગારીના અભાવે સામાન્ય પરિવારો પર આર્થિક બોજ અસહ્ય બન્યો છે.
આ વિરોધ પ્રદર્શનમાં સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદભાઈ ચૌધરી, પૂર્વ પ્રમુખ મનહરભાઈ પટેલ, કડોદરા નગર પ્રમુખ જીવણભાઈ વાદી, બારડોલી નગર પ્રમુખ કિરણભાઈ લાકડાવાલા અને સુરત જિલ્લા મહિલા પ્રમુખ નીતુસિંગ રાજપૂત સહિતના આગેવાનો જોડાયા.
મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ અને આગેવાનોએ હાથમાં પ્લેકાર્ડ રાખીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ અને સાઉથ ઝોન પ્રભારી ડૉ. સંજુ દીક્ષિતે જણાવ્યું કે 2014માં સત્તા પર આવતા પહેલા સરકારે મોંઘવારી ઘટાડવાના વાયદા કર્યા હતા, જે પોકળ સાબિત થયા છે.
મોંઘવારી એટલી વધી ગઈ છે કે સામાન્ય વર્ગ અને ખાસ કરીને મહિલાઓ માટે ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. રોજગારીના અભાવે સામાન્ય પરિવારો પર આર્થિક બોજ અસહ્ય બન્યો છે.
આ વિરોધ પ્રદર્શનમાં સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદભાઈ ચૌધરી, પૂર્વ પ્રમુખ મનહરભાઈ પટેલ, કડોદરા નગર પ્રમુખ જીવણભાઈ વાદી, બારડોલી નગર પ્રમુખ કિરણભાઈ લાકડાવાલા અને સુરત જિલ્લા મહિલા પ્રમુખ નીતુસિંગ રાજપૂત સહિતના આગેવાનો જોડાયા.