🔥 TRENDING AAP and Goa Forward Party Form Allianc... TMC fields Sanchita Pradhan for Nandig... Kerala Lottery Draw: Samrudhi SM-72 Re... 9 Dead in Nagaland After Consuming Tox... Manipur: Arms Cache Seized in Joint Op... Kuki Community Observes 'Sahnit Ni' Am...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સ્કાર્લેટ કોમ્પ્લેક્સમાં આગથી દાઝેલા મિહિરભાઈ ગાંજાવાલાની સ્થિતિ સ્થિર, હોસ્પિટલમાં મળીને જાણ્યા સ્વાસ્થ્ય

✍️ Reporter: Hariom Borse 🗓 13 Sep 2026, 08:25 PM 👁 10
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પ્રાઈમ આર્કેડ ખાતે સ્કાર્લેટ કોમ્પ્લેક્સમાં થયેલી આગની ઘટનામાં દાઝી ગયેલા મિહિરભાઈ ગાંજાવાલાને યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. હાલ તેમની સ્થિતિ સારી અને સ્થિર છે.

પ્રાઈમ આર્કેડ ખાતે આવેલા સ્કાર્લેટ કોમ્પ્લેક્સમાં આગની દુર્ઘટનામાં દાઝી ગયેલા મિહિરભાઈ ગાંજાવાલાને તાત્કાલિક યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સંકટની ઘડીએ સાથે રહેવું અને દરેક શક્ય મદદ માટે તત્પર રહેવું એ જ સાચી જનસેવા છે, એવી માન્યતા સાથે ઘટનાની જાણકારી મળ્યા બાદ હોસ્પિટલ ખાતે જવામાં આવ્યું હતું.

હોસ્પિટલ પહોંચીને મિહિરભાઈને રૂબરૂ મળીને તેમના સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવી હતી. ઉપરાંત, તબીબો સાથે પણ સારવાર અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઘટના બાદ દર્દીની સ્થિતિ સારી અને સ્થિર હોવાનું જાણીને રાહત અનુભવી છે. હાલમાં દર્દીની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.
📲Get App