ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે આદિવાસી અધિકાર જનસભા નું આયોજન કરાયું
Watch on:
▶️ YouTube
વરસાદી માહોલમાં સભા સફળ બનાવી
આજ રોજ ભરૂચ જિલ્લા માં આવેલ ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામ ખાતે આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં આદિવાસી અધિકાર ની જનસભા ના કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવી. આ કાર્યક્રમનો આયોજન ધનરાજ વસાવા દ્વારા કરવામાં આવ્યું જેમાં અખિલ ભારતીય આદિવાસી વિકાસ પરિષદના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ લકીભાઉ જાધવના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી તેમજ આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના આગેવાનો તેમજ સંદીપસિંહ માંગરોલા જેવા મહા નુભાવો ઉપસ્થિત રહ્યા તેમજ આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું. રિપોર્ટર: મલેક સિરાજુદ્દીન ઝઘડિયા