🔥 TRENDING CM Pushkar Singh Dhami Meets Youth in... Delhi Police: PG Operator 90m From Inc... Delhi Prepares Traffic Plan for BRICS... China's Xi Jinping to Attend BRICS Sum... BJP Leader Calls for Contempt Action A... Haryana to Build Six New Water Treatme...
10 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

વીરપુર આંગણવાડીની ગંભીર બેદરકારી: એક મહિનાથી ધક્કા ખાતા વાલીનું નામ ન નોંધાવતા રોષ

✍️ Reporter: વનરાજ રૂદાત્રા 🗓 10 Sep 2026, 05:23 PM 👁 4
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જેતપુર તાલુકાના વીરપુર ગામની આંગણવાડીમાં બાળકનું નામ નોંધાવવા ગયેલા વાલી સાથે આંગણવાડી કાર્યકરની દાદાગીરી સામે આવી છે, અરજી લેવાની પણ સ્પષ્ટ ના પાડી દેવાઈ.

જેતપુર તાલુકાના વીરપુર (ઝલસામા) ગામમાં આવેલ આંગણવાડી કેન્દ્ર નં. ૨ માં ભારે લાપરવાહી સામે આવી છે. અરજદાર પ્રશાંતભાઈ જગાભાઈ કાળિયાના જણાવ્યા મુજબ, તેઓ છેલ્લા એક મહિનાથી પોતાના બાળકના આંગણવાડીમાં પ્રવેશ તથા પોષણ આહાર મેળવવા માટે નામ નોંધાવવા સતત ધક્કા ખાઈ રહ્યા છે. પરંતુ આંગણવાડી કાર્યકર દ્વારા નામ નોંધાવવાની સાફ ના પાડી દેવામાં આવે છે અને અરજી સ્વીકારવાનો પણ ઇનકાર કરી વાલીઓને બહાર કાઢી મૂકવામાં આવે છે. ગરીબ અને સામાન્ય લોકોના બાળકોના હક છીનવતી આ પ્રકારની મનમાની સામે તંત્ર દ્વારા કડક પગલાં લેવા તેવી લોક માંગ ઉઠી છે.
📲Get App