शिक्षा
મહિસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કૃપા એન. ઝાને નેશનલ એવોર્ડથી સન્માનિત
મહિસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી કૃપા એન. ઝાને નવી દિલ્હી ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશનલ પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન દ્વારા ‘મિશન સિદ્ધત્વ’ પ્રોજેક્ટને રાષ્ટ્રીય સ્તરે પસંદગી મળી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
મહિસાગર જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે વહીવટી નવીનતા અને અસરકારક વ્યવસ્થાપન માટે જાણીતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી કૃપા એન. ઝાને નવી દિલ્હી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય સમારોહમાં નેશનલ એવોર્ડ ફોર ઇનોવેશન એન્ડ ગુડ પ્રેક્ટિસીસ ઇન એજ્યુકેશનલ એડમિનિસ્ટ્રેશનથી સન્માનિત કરવામાં આવ્યા.
આ એવોર્ડનું નિર્માણ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશનલ પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન (NIEPA) દ્વારા કરવામાં આવ્યું છે અને ૩ સપ્ટેમ્બર રોજનું સમારોહમાં શ્રીમતી ઝાને તેમની ઉત્કૃષ્ટ કાર્યપદ્ધતિ માટે એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો.
શ્રીમતી ઝાના કાર્યકાળ દરમિયાન, તેમણે ‘મિશન સિદ્ધત્વ’ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો, જે શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહિત કરવા માટે રચાયેલ હતો. આ પ્રોજેક્ટ દ્વારા શૈક્ષણિક સ્તર સુધારવામાં, નિયમિતતા વધારવામાં અને સર્વગ્રાહી શૈક્ષણિક વાતાવરણ સર્જવામાં મહત્વપૂર્ણ વહીવટી પહેલો કરવામાં આવ્યા.
NIEPA દ્વારા સમગ્ર દેશમાં થયેલા શ્રેષ્ઠ વહીવટી પ્રયોગોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું, જેમાં ‘મિશન સિદ્ધત્વ’ પ્રોજેક્ટને રાષ્ટ્રીય સ્તરે પસંદગી મળી. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ માટે શિક્ષણ વિભાગ અને અન્ય વહીવટી તંત્રો દ્વારા શ્રીમતી કૃપા એન. ઝાને અભિનંદન પાઠવવામાં આવ્યું.
આ સન્માન મહિસાગર જિલ્લામાં શિક્ષણ સુધારણા માટેની પ્રતિબદ્ધતા અને નવીનતા માટે પ્રેરણા રૂપ છે અને અન્ય શૈક્ષણિક અધિકારીઓ માટે ઉદાહરણ બની રહેશે.
આ એવોર્ડનું નિર્માણ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશનલ પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન (NIEPA) દ્વારા કરવામાં આવ્યું છે અને ૩ સપ્ટેમ્બર રોજનું સમારોહમાં શ્રીમતી ઝાને તેમની ઉત્કૃષ્ટ કાર્યપદ્ધતિ માટે એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો.
શ્રીમતી ઝાના કાર્યકાળ દરમિયાન, તેમણે ‘મિશન સિદ્ધત્વ’ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો, જે શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહિત કરવા માટે રચાયેલ હતો. આ પ્રોજેક્ટ દ્વારા શૈક્ષણિક સ્તર સુધારવામાં, નિયમિતતા વધારવામાં અને સર્વગ્રાહી શૈક્ષણિક વાતાવરણ સર્જવામાં મહત્વપૂર્ણ વહીવટી પહેલો કરવામાં આવ્યા.
NIEPA દ્વારા સમગ્ર દેશમાં થયેલા શ્રેષ્ઠ વહીવટી પ્રયોગોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું, જેમાં ‘મિશન સિદ્ધત્વ’ પ્રોજેક્ટને રાષ્ટ્રીય સ્તરે પસંદગી મળી. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ માટે શિક્ષણ વિભાગ અને અન્ય વહીવટી તંત્રો દ્વારા શ્રીમતી કૃપા એન. ઝાને અભિનંદન પાઠવવામાં આવ્યું.
આ સન્માન મહિસાગર જિલ્લામાં શિક્ષણ સુધારણા માટેની પ્રતિબદ્ધતા અને નવીનતા માટે પ્રેરણા રૂપ છે અને અન્ય શૈક્ષણિક અધિકારીઓ માટે ઉદાહરણ બની રહેશે.