🔥 TRENDING Five New South Indian Titles Drop on O... Panchayat 5 Release Date Announced: Wh... Fauda Season 5 Trailer Released Featur... Nimisha Sajayan and Karunaas headline... Rohit Saraf’s 15‑Month Body Transforma... PM Modi to inaugurate three WDFC secti...
08 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

બોટાદના સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ શનિવારે દાદા માટે ચોકલેટ શણગાર અને ભવ્ય અન્નકૂટ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 07 Sep 2026, 09:56 AM 👁 10
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શ્રાવણ માસના શનિવારે બોટાદના સાળંગપુર હનુમાનજી મંદિર માં દાદાને ચોકલેટથી સજાવટ અને અન્નકૂટની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી, જેના દર્શન માટે ભક્તો ઉપસ્થિત રહ્યા.

શ્રાવણ માસના શનિવારે બોટાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે દાદા માટે ચોકલેટનું દિવ્ય શણગાર અને ભવ્ય અન્નકૂટનું આયોજન કર્યું.

આ કાર્યક્રમ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી સ્વામી વિવેકસાગરદાસજીના માર્ગદર્શન હેઠળ અમલમાં મૂકાયો.

દાદાને ચાંદીનો મુકુટ અને એમ્બ્રોઇડરીવાળા વાઘા પહેરાવાયા, તેમજ સિંહાસનની બન્ને બાજુઓ પર ચોકલેટથી બનેલા દિવ્ય મોર અને પાંખોની આકર્ષક કૃતિઓ સ્થાપિત કરવામાં આવી.

સવારે મંગળા અને શણગાર આરતી બાદ મોટી સંખ્યામાં ભક્તોએ પ્રત્યક્ષ અને ઓનલાઈન દર્શન કરી, આ પવિત્ર પ્રસંગમાં ભાગ લઈને ધન્યતા અનુભવી.
📲Get App