🔥 TRENDING મોગલ ધામ ભાયલા ખાતે શિતળા સાતમ નિમિતે... Bangladesh's Towhid Hridoy scores unbe... Bajaj Auto’s August 2026 Sales Jump 30... Smriti Mandhana's Record Knock Leads I... Nagaland Assembly Calls for End of Pro... FNTA Bill Launched to Close Developmen...
03 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Agriculture

પાણીની કમીથી ખેડૂત ખેતરો સુકાઈ રહ્યા, સરપંચ મગનભાઈ અઘેરાએ નેતાઓને જવાબદારીની કસોટી આપી

✍️ Reporter: Samir Bhalodiya 🗓 02 Sep 2026, 05:00 PM 👁 177
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પાણીની અછતથી પાક સુકાઈને સંપૂર્ણ ખેતીવર્ષ નિષ્ફળ થવાની સ્થિતિમાં, અજાબના સરપંચ મગનભાઈ અઘેરાએ જનપ્રતિનિધિઓને માનવતા અને જવાબદારી બતાવવા આહ્વાન કર્યું.

પાણીની અછતને કારણે અજાબના ખેડૂતોના ખેતરોમાં ઉગાડવામાં આવેલા પાકો ધીમે ધીમે સુકાઈ રહ્યા છે, અને સમગ્ર ખેતીવર્ષ નિષ્ફળ થવાની ભયંકર સ્થિતિ ઉભી થઈ છે. બિયારણ, ખાતર, દવા અને મજૂરીમાં ખર્ચ કર્યા બાદ હવે પાક બચાવવા માટે પૂરતું પાણી મળવું અત્યંત આવશ્યક બની ગયું છે, જેનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ કઠિન બની રહી છે.

આ ગંભીર પરિસ્થિતિમાં અજાબના સરપંચ મગનભાઈ અઘેરાએ જનપ્રતિનિધિઓને આડે હાથ લઈને જણાવ્યું કે, ખેડૂતો મુશ્કેલીમાં હોય ત્યારે રાજકારણ નહીં, માનવતા અને જવાબદારી દેખાવાની જરૂર છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, "આજે ખેડૂતો પાણી માટે વલખાં મારી રહ્યા છે, પાક આંખ સામે સુકાઈ રહ્યા છે અને આખું ખેતીવર્ષ નિષ્ફળ જવાની ભીતિ છે. આવા સમયે રાજકારણથી ઉપર ઊઠીને ખેડૂતોની પડખે ઊભા રહેવું એ સૌની નૈતિક ફરજ છે."

મગનભાઈ અઘેરાએ જણાવ્યું કે, હવે માત્ર ચૂંટણી સમયે જ નહીં, પરંતુ ચૂંટણી બાદ પણ જનતાના સુખ-દુઃખમાં ભાગીદાર બનવું પડશે. તેઓએ જનપ્રતિનિધિઓને સરકાર સમક્ષ મજબૂત અવાજ ઉઠાવી, ખેડૂતોની મુશ્કેલીને દૂર કરવા માટે પગલાં લેવા આહ્વાન કર્યું.

તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "ખેડૂતોની મુશ્કેલીના સમયે જે નેતાઓ મૌન રહેશે અને તેમની પડખે ઊભા નહીં રહે, તેઓ આવનારા સમયમાં જનતાના વિશ્વાસમાંથી ખોવાઈ જશે." આ સાથે તેમણે ભાર મૂક્યો કે, કપરા સમયમાં કોણ ખેડૂતની સાથે ઊભો છે અને કોણ મૌન છે, તેની નોંધ ખેડૂત ચોક્કસપણે લેશે.

અંતમાં મગનભાઈ અઘેરાએ કહ્યું, "ચૂંટણીના સમયે નહીં, સંકટના સમયે ઓળખાય છે સાચો જનપ્રતિનિધિ!"
📲Get App