Religion
અમરેલીના જાફરાબાદમાં બરફનાં શિવલિંગનું અદ્ભુત દર્શન
જાફરાબાદ તાલુકાના ભાડા ગામમાં શ્રાવણ માસ દરમિયાન બરફમાંથી બનાવેલ શિવલિંગનું દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો એકત્ર થયા.
અમરેલી જીલ્લાના જાફરાબાદ તાલુકાના ભાડા ગામમાં શ્રાવણ માસ નિમિત્તે પ્રખ્યાત ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે બરફમાંથી શિવલિંગ બનાવવાની અનોખી ધાર્મિક પરંપરા ચાલુ છે. આ પ્રથા છેલ્લા ૧૧ વર્ષથી દર વર્ષે આ સમયગાળામાં કરવામાં આવી રહી છે અને આ વર્ષે પણ ભક્તો માટે મનોહર બરફનું શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું.
સવારથી જ મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી આવ્યા. તેઓ શિવલિંગનું દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા હતા અને સમગ્ર સ્થળ ‘હર હર મહાદેવ’ અને ‘ૐ નમઃ શિવાય’ના જયઘોષથી ગુંજી ઉઠ્યો.
મંદિરના પૂજારી છગનપરી બાપુ સાથે હરેશભાઈ જોશી, કિશોરભાઈ જોશી, પ્રવીણ દાદા, ધુધાભાઈ ધાખડા, છગનભાઈ સોલંકી, અશોકભાઈ ડાભી, રામભાઈ રબારી, રાકેશભાઈ મકવાણા, બદરૂભાઈ વાળા, પુંજાભાઈ જોલીયા, ભાવેશ મકવાણા, નારણભાઈ જાદવ સહિતના આગેવાનો તેમજ સમસ્ત ભાડા ગ્રામજનો અને આસપાસના વિસ્તારોમાંથી આવેલા ભક્તો ઉપસ્થિત રહ્યા.
શ્રાવણ માસની પવિત્રતા અને મહાદેવ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાનું આ અનોખું સ્વરૂપ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. બરફનાં શિવલિંગનું દિવ્ય દર્શન કરીને ભક્તો ઓમકારેશ્વર મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.
સવારથી જ મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી આવ્યા. તેઓ શિવલિંગનું દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા હતા અને સમગ્ર સ્થળ ‘હર હર મહાદેવ’ અને ‘ૐ નમઃ શિવાય’ના જયઘોષથી ગુંજી ઉઠ્યો.
મંદિરના પૂજારી છગનપરી બાપુ સાથે હરેશભાઈ જોશી, કિશોરભાઈ જોશી, પ્રવીણ દાદા, ધુધાભાઈ ધાખડા, છગનભાઈ સોલંકી, અશોકભાઈ ડાભી, રામભાઈ રબારી, રાકેશભાઈ મકવાણા, બદરૂભાઈ વાળા, પુંજાભાઈ જોલીયા, ભાવેશ મકવાણા, નારણભાઈ જાદવ સહિતના આગેવાનો તેમજ સમસ્ત ભાડા ગ્રામજનો અને આસપાસના વિસ્તારોમાંથી આવેલા ભક્તો ઉપસ્થિત રહ્યા.
શ્રાવણ માસની પવિત્રતા અને મહાદેવ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાનું આ અનોખું સ્વરૂપ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. બરફનાં શિવલિંગનું દિવ્ય દર્શન કરીને ભક્તો ઓમકારેશ્વર મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.