🔥 TRENDING રાજ્યનામુખ્યમંત્રી ને રાણાવાવ કુતિયાણા... Congress says nation confused over pla... Neap Floods Ravage Nepal: Rising Water... Karnataka Government Forms Panel to Re... ‘वन राखी फॉर जवान’ कार्यक्रम में जवानो... અમરેલીમાં નેફાળમાં પૂરથી ફસાયેલા નાગરિ...
27 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અમરેલીના દુધાળામાં ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 27 Aug 2026, 07:30 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહએ અમરેલી જિલ્લામાં લાઠી તાલુકાના દુધાળા ગામમાં નિર્મિત ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ કર્યું, જેમાં રાજ્યના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિત શાહએ અમરેલી જિલ્લામાં લાઠી તાલુકાના દુધાળા ગામમાં નિર્મિત ‘ગુજરાત ગૌરવ સરોવર’નું લોકાર્પણ કર્યું. આ સમારંભમાં રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, અમરેલી જિલ્લા પ્રભારી તથા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

લોકાર્પણ સમારંભમાં રાજ્યસભા સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, લાઠી-બાબરા વિસ્તારના ધારાસભ્ય શ્રી જનક તળાવિયા, સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશ કસવાલા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દક્ષાબેન ચોડવડિયા પણ હાજર રહ્યા.

સમારંભમાં હાજર અધિકારીઓએ સરોવરના નિર્માણ અને તેના મહત્વને લઈને ટિપ્પણીઓ કરી, તેમજ સ્થાનિક કૃષિ અને પાણીની જરૂરિયાતો માટે આ પ્રોજેક્ટનું યોગદાન પ્રશંસિત કર્યું.
📲Get App