🔥 TRENDING नवादा जिला पदाधिकारी रवि प्रकाश ने की... Punjab Police Bust Cross-Border Arms,... Kedaara Capital to invest $200 million... MP Govt Sets Wheat Procurement at ₹2,7... Roslyn, Washington Conducts Deliberate... Class VIII Girl Dies at PGI Chandigarh...
29 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માંગરોળ વંદેમાતરમ ગ્રુપનું અનોખું અને પ્રેરણાદાયી અભિયાન

✍️ Reporter: Sudip Gadhiya 🗓 27 Aug 2026, 11:01 PM 👁 41
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાતમ-આઠમ જેવા પવિત્ર તહેવારોમાં કોઈ વંચિત કે પીડિત પરિવાર ખુશીઓથી વંચિત ન રહે, તે હેતુસર માંગરોળ વંદેમાતરમ ગ્રુપ દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.જરૂરત મંદ પરિવારો ને ઘરે જઈ નિશુલ્ક મીઠાઈ ફરસાણ ની કીટ પહોચતી કરવા નું આયોજન
"જેઓ ક્યારેય હાથ લાંબો નથી કરી શકતા, તેમના ઘરે જઈને ખુશીઓ વહેંચવી એ જ સાચી માનવતા છે."
​અભિયાનની વિશેષતાઓ:
​ઘરે-ઘરે વિતરણ: રક્ષાબંધન બાદ તરત જ જરૂરિયાતમંદ પરિવારોના ઘરે જઈને મીઠાઈ અને ફરસાણની કીટ નિશુલ્ક વિતરણ કરવામાં આવનાર છે.
​લોકભાગીદારી: આ સમગ્ર લોકઉપયોગી કાર્ય સંપૂર્ણપણે 'લોકો માટે, લોકો દ્વારા અને લોકભાગીદારીથી' નિશુલ્ક કરવામાં આવી રહ્યું છે.
​પારદર્શક વ્યવસ્થા: વંદેમાતરમ ગ્રુપ દ્વારા ગોઠવવામાં આવેલી ઉત્તમ વિતરણ વ્યવસ્થાને સમગ્ર માંગરોળ પંથકમાં ભારે સરાહના મળી રહી છે.
​સમાજસેવાના આ ભગીરથ કાર્યને માંગરોળની જનતા દ્વારા હૃદયપૂર્વક આવકારવામાં આવી રહ્યું છે અને ખૂબ-ખૂબ સન્માન આપવામાં આવી રહ્યું છે.સાથે આ પ્રકાર ની વિચાર ધારા ને પણ લોકો આવકારી રહ્યા છે

એવા વંચિત પરિવારો ને નિશુલ્ક મતલબ મફત માં દેવા નું અને તેમના ઘરે પહોંચાડવા નું ભગીરથ કાર્ય વંદેમાતરમ ગ્રુપ માંગરોળ દ્વારા થવા જઈ રહ્યું છે જે અતિ સુંદર સરાહનીય લોકઉપયોગી સમાજ સેવા પ્રેરિત અને સેવા કાર્ય છે
​ માનવસેવા એજ પ્રભુસેવા!
📲Get App