🔥 ट्रेंडिंग વડનગરમાં શ્રી હાટકેશ્વર દાદા ના સાનિધ્... સાબરકાંઠા: વદરાડમાં 77મા જિલ્લા કક્ષાન... ભરૂચમાં 77મો મહોત્સવ, જિલ્લાને 38.73 લ... जश्न‑ए‑ईद मिलादुन्नबी का जुलूस आयोजित सुकमा के दूरस्थ गांवों में पुलिस ने ‘न... छत्तीसगढ़ हाई कोर्ट ने राज्यपाल कार्टू...
25 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બાબરા–લીલવાડા–વાંકીયા રોડની દયનીય સ્થિતિ અંગે આમ આદમી પાર્ટી નેતા જે.ડી.કથીરીયાની ચીમકી

✍️ रिपोर्टर: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 23 अग. 2026, 04:46 PM 👁 12
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બાબરા–લીલવાડા–વાંકીયા રોડની દયનીય સ્થિતિ અંગે આમ આદમી પાર્ટી નેતા જે.ડી.કથીરીયાની ચીમકી

આઠ દિવસની અંદર રોડનું યોગ્ય રિ-સરફેસિંગ અથવા જરૂરી રિપેરિંગ કરવામાં નહીં આવે તો સ્થાનિક લોકોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવામાં આવશે : જે.ડી.કથીરીયા AAP

લોકોના જીવ અને સલામતી સાથે કોઈ બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે : જે.ડી.કથીરીયા AAP

લાઠી વિધાનસભાના બાબરા તાલુકામાં બાબરા ગામથી લીલવાડા ગામ થઈ વાંકીયા સુધીનો માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે. રોડ પર મોટા ખાડા અને તૂટેલી સપાટીના કારણે વાહનચાલકો તથા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સંદર્ભે આજરોજ આમ આદમી પાર્ટીના આગેવાન જે.ડી.કથીરીયા સહિત અગ્રણીઓ અને કાર્યકરોએ સ્થળ પર પહોંચી રોડનું નિરીક્ષણ કર્યું હતું. રોડની ખરાબ સ્થિતિ અંગે વિડિયો માધ્યમથી સમગ્ર હકીકત લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

આ સંદર્ભે આમ આદમી પાર્ટી દ્વારા સંબંધિત તંત્ર અને અધિકારીઓને આઠ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. ’આપ’ નેતા જે.ડી.કથીરીયાએ તંત્રને ચીમકી આપતા જણાવ્યું હતું કે, આઠ દિવસની અંદર રોડનું યોગ્ય રીતે રિ-સરફેસિંગ અથવા જરૂરી રિપેરિંગ કરવામાં નહીં આવે તો સ્થાનિક લોકોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

’આપ’ નેતા જે.ડી.કથીરીયાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, લોકોના જીવ અને સલામતી સાથે કોઈ બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે અને રોડનું કામ તાત્કાલિક કરવામાં આવે તેવી અમારી માંગ છે.

આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી નેતા જે.ડી.કથીરીયા સાથે પાર્ટીના લીગલ સેલના ઉપાધ્યક્ષ કૌશિકભાઈ ભરાડ, લાઠી વિધાનસભા સંગઠન મંત્રી રાજુભાઈ ખાતરોજા, બાબરા તાલુકા પંચાયત વિપક્ષના નેતા ભુપતભાઈ વિરડીયા, કોટડા પીઠા જિલ્લા પંચાયતના પ્રમુખ નારાયણભાઈ ભોજાણી તેમજ કોટડા પીઠા સીટ પરથી ચૂંટણી લડેલા વશરામભાઈ ઝાપડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App