🔥 TRENDING India's Space Economy Expected to Hit... Trade Minister Piyush Goyal Heads 200‑... Tamil Film Industry Halts Releases, Sh... Nawazuddin Siddiqui Resumes Shooting o... Paramount and California to Discuss $1... Suriya’s ‘Vishwanath and Sons’ sees 61...
23 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અંકલેશ્વરમાં કામના વિવાદમાં વેપારી પર હુમલો: ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

✍️ Reporter: Shahid Mansuri 🗓 23 Aug 2026, 02:20 PM 👁 4
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અંકલેશ્વરમાં વેપારી સુરેશસિંહ ઉર્ફે બબલુ રાજપૂત પર કામના વિવાદમાં હુમલો કરવામાં આવ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

અંકલેશ્વરમાં વેપારી સુરેશસિંહ ઉર્ફે બબલુ રાજપૂત પર હુમલો થયાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કામના વિવાદને લઈને થયેલી બોલાચાલી બાદ આ હુમલો કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.

આ સમગ્ર મામલે ચાર વ્યક્તિઓ વિરુદ્ધ મારામારી અને ધમકી આપવા બદલ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. વેપારી પર થયેલા આ હુમલાને પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ મેળવીને આરોપીઓની ઓળખ અને તેમની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
📲Get App