🔥 TRENDING જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદનો કહેર: સલ... મહીસાગર જિલ્લામાં વિદેશી દારૂ પકડાયો અમદાવાદના વાસણા વિસ્તારમાંથી નશાકારક ક... પારડીમાં રેમન્ડ કંપની પાસે કારમાંથી 60... ન્યૂજર્સીના BAPS અક્ષરધામની મુલાકાતે મ... ખેડા જિલ્લાના લસુન્દ્રા ગામના 63 વર્ષી...
23 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

તલોદના તાજપુરમાં મેશ્વા નદીના કિનારે દશામાની મૂર્તિઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન

✍️ Reporter: Zala axaratirthsinh 🗓 22 Aug 2026, 03:30 PM 👁 52
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તલોદ તાલુકાના તાજપુર ગામે શ્રાવણ સુદ દશમના પવિત્ર દિવસે દસ દિવસના વ્રત બાદ દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

તલોદ તાલુકાના તાજપુર ગામે શ્રાવણ સુદ દશમના દિવસે દશામાના વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. દસ દિવસ સુધી ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કર્યા બાદ ભાવિક ભક્તો દ્વારા દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તાજપુર ગામની મેશ્વા નદીના કિનારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્રિત થયા હતા. ભક્તોએ ભારે ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે દશામાની મૂર્તિઓને નદીના જળમાં પધરાવીને વિદાય આપી હતી.

દસ દિવસના આ વ્રત દરમિયાન ભક્તોએ દશામાની આરાધના કરી હતી. વિસર્જન વિધિ શાંતિપૂર્ણ અને ધાર્મિક વાતાવરણમાં સંપન્ન થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
📲Get App