राजनीति
ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે જૂનાગઢમાં આમ આદમી પાર્ટીનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
ભાવનગરમાં ઝેરી દારૂકાંડમાં અનેક લોકોના મોત બાદ જૂનાગઢમાં આમ આદમી પાર્ટી દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી છે.
ભાવનગર જિલ્લામાં બનેલી ઝેરી દારૂકાંડની દુઃખદ ઘટનાને પગલે જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ સંગઠન મંત્રી રાજુભાઈ બોરખતરીયાની આગેવાની હેઠળ યોજાયેલા આ વિરોધમાં કાર્યકરોએ રાજ્ય સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને દારૂબંધીના કડક અમલ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. પક્ષે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં દારૂનો ગેરકાયદેસર કારોબાર બેરોકટોક ચાલી રહ્યો છે અને સરકાર તેને રોકવામાં નિષ્ફળ રહી છે.
વિરોધ પ્રદર્શન દરમિયાન AAPના આગેવાનોએ ગૃહમંત્રી હર્ષ સંઘવીની નૈતિક જવાબદારી નક્કી કરી તેમના રાજીનામાની માંગ કરી હતી. સાથે જ, ઝેરી દારૂના કાળા કારોબારમાં સંડોવાયેલા તમામ જવાબદાર લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. નોંધનીય છે કે ભાવનગરની આ ઘટનામાં મૃત્યુઆંક 8થી 11 જેટલો હોવાનું સામે આવ્યું છે, જેના પગલે કેટલાક પોલીસ કર્મચારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીએ સરકારને જવાબદારી સ્વીકારી મૃતકોના પરિવારોને ન્યાય અપાવવા અને દારૂના ગેરકાયદેસર નેટવર્ક સામે કડક કાર્યવાહી કરવા તાકીદ કરી છે. પક્ષ દ્વારા આ મામલે આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપવામાં આવી છે.
વિરોધ પ્રદર્શન દરમિયાન AAPના આગેવાનોએ ગૃહમંત્રી હર્ષ સંઘવીની નૈતિક જવાબદારી નક્કી કરી તેમના રાજીનામાની માંગ કરી હતી. સાથે જ, ઝેરી દારૂના કાળા કારોબારમાં સંડોવાયેલા તમામ જવાબદાર લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. નોંધનીય છે કે ભાવનગરની આ ઘટનામાં મૃત્યુઆંક 8થી 11 જેટલો હોવાનું સામે આવ્યું છે, જેના પગલે કેટલાક પોલીસ કર્મચારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીએ સરકારને જવાબદારી સ્વીકારી મૃતકોના પરિવારોને ન્યાય અપાવવા અને દારૂના ગેરકાયદેસર નેટવર્ક સામે કડક કાર્યવાહી કરવા તાકીદ કરી છે. પક્ષ દ્વારા આ મામલે આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપવામાં આવી છે.