🔥 TRENDING જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદનો કહેર: સલ... મહીસાગર જિલ્લામાં વિદેશી દારૂ પકડાયો અમદાવાદના વાસણા વિસ્તારમાંથી નશાકારક ક... પારડીમાં રેમન્ડ કંપની પાસે કારમાંથી 60... ન્યૂજર્સીના BAPS અક્ષરધામની મુલાકાતે મ... ખેડા જિલ્લાના લસુન્દ્રા ગામના 63 વર્ષી...
23 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Agriculture

ધાંગધ્રાના ખેડૂતે વીજ લાઇન માટે જમીન સંપાદનનું ચાર ગણું વળતર સ્વીકાર્યું

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 22 Aug 2026, 03:39 PM 👁 7
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રાના એક ખેડૂતે પોતાની જમીનમાંથી પસાર થતી વીજ લાઇનના બદલામાં સરકાર દ્વારા નિર્ધારિત ચાર ગણું વળતર સ્વીકારીને દાખલો બેસાડ્યો છે.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા વિસ્તારમાં ખેતીની જમીનમાંથી પસાર થતી વીજ લાઇનના વળતર મામલે એક મહત્વપૂર્ણ કિસ્સો સામે આવ્યો છે. અહીંના એક ખેડૂતે પોતાની જમીનમાંથી પસાર થતી વીજ લાઇનના બદલામાં મળવાપાત્ર ચાર ગણું વળતર સ્વીકારી લીધું છે.

સરકારી નિયમો અને જમીન સંપાદન પ્રક્રિયા હેઠળ ખેડૂતોને તેમની જમીનમાંથી પસાર થતી વીજ લાઇનના બદલામાં વળતર ચૂકવવાની જોગવાઈ હોય છે. આ કિસ્સામાં ખેડૂત હનીફભાઇ ઘાંચી એવહીવટી તંત્ર સાથે સહમતી સાધીને નિર્ધારિત ચાર ગણી રકમનો સ્વીકાર કર્યો છે.

આ ઘટના બાદ અન્ય ખેડૂતોમાં પણ જમીન સંપાદન અને વળતર અંગે જાગૃતિ જોવા મળી રહી છે. ખેડૂતે વળતર સ્વીકારીને વહીવટી પ્રક્રિયામાં સહકાર આપતા આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App