🔥 TRENDING India junior men clinch record sixth A... Yellow Rain Alert Issued for Seven Dis... Mumbai, Thane on Orange Alert as Monso... IMD Issues Yellow Alert as Heavy Rain... Viral Video: Ganesh Idol Falls as Trol... Schoolchildren's Viral Video Prompts R...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદના વસ્ત્રાલમાં દશામાના વિસર્જન નિમિત્તે ભક્તિસભર માહોલ, ભક્તોમાં ભારે ઉત્સાહ
Local

અમદાવાદના વસ્ત્રાલમાં દશામાના વિસર્જન નિમિત્તે ભક્તિસભર માહોલ, ભક્તોમાં ભારે ઉત્સાહ

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 22 Aug 2026, 10:50 AM 👁 45
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં દશામાના વિસર્જન પ્રસંગે ભક્તો દ્વારા ભવ્ય યાત્રા કાઢવામાં આવી હતી.

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં દશામાના વિસર્જન નિમિત્તે ભક્તિસભર માહોલ જોવા મળ્યો હતો. દશામાના વ્રતની પૂર્ણાહુતિના ભાગરૂપે ભક્તો દ્વારા ભવ્ય વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વિસર્જન યાત્રા દરમિયાન ભક્તજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઢોલ-નગારાંના તાલે ભક્તો ભક્તિમાં લીન થઈને દશામાની વિદાય આપી રહ્યા હતા. સમગ્ર વિસ્તારમાં ધાર્મિક વાતાવરણ છવાઈ ગયું હતું.

શ્રદ્ધાળુઓએ શ્રદ્ધા અને ઉમંગ સાથે દશામાની મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહીને ધાર્મિક વિધિઓમાં જોડાયા હતા.
📲Get App