Education
ભરૂચ: શિક્ષણ છોડનાર દીકરીના ઘરે પહોંચ્યા મંત્રી પ્રફુલ પાનસેરિયા, પરિવાર સાથે કરી ચર્ચા
ભરૂચના કુકરવાડામાં ઘરકામ માટે શાળા છોડનાર હિરલ મીરના ઘરે રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ મુલાકાત લીધી હતી.
રાજ્યના શિક્ષણ વિભાગના મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ભરૂચ જિલ્લાના કુકરવાડા સ્થિત ગોકુળ નગરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓ હિરલ મીર નામની દીકરીના ઘરે પહોંચ્યા હતા, જેણે ઘરકામની જવાબદારીઓને કારણે શાળા છોડી દીધી હતી.
મંત્રીએ દીકરીના પરિવાર સાથે રૂબરૂ મુલાકાત કરી હતી અને શિક્ષણના મહત્વ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે પરિવારને દીકરીના ભવિષ્ય અને અભ્યાસના મહત્વ વિશે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ડ્રોપ-આઉટ થયેલી દીકરીઓને ફરીથી શિક્ષણ સાથે જોડવાનો અને તેમના પરિવારને પ્રોત્સાહિત કરવાનો હતો.
મંત્રીએ દીકરીના પરિવાર સાથે રૂબરૂ મુલાકાત કરી હતી અને શિક્ષણના મહત્વ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે પરિવારને દીકરીના ભવિષ્ય અને અભ્યાસના મહત્વ વિશે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ડ્રોપ-આઉટ થયેલી દીકરીઓને ફરીથી શિક્ષણ સાથે જોડવાનો અને તેમના પરિવારને પ્રોત્સાહિત કરવાનો હતો.