🔥 TRENDING ઠાસરા વિધાનસભામાં ૧૨૭ કરોડના ખર્ચે ૩૧... અમદાવાદ: એલિસબ્રિજ નીચેનો માર્ગ 21 દિવ... ગુજરાત પોલીસના જાંબાજ અધિકારી નિર્લિપ્... कौआकोल: योगाचक गांव में 15 दिनों बाद ल... અમરેલીના ગાવડકા ગામે ટૂ વ્હીલર સ્લીપ થ... રાજકોટમાં કચરો નાખવાની બાબતે બે જૂથ વચ...
21 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ભાજપના પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટના જન્મદિવસ નિમિત્તે ફાગવેલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન

✍️ Reporter: Bhadreshkumar Solanki 🗓 20 Aug 2026, 05:12 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટના જન્મદિવસની ઉજવણી નિમિત્તે ફાગવેલના ભાથીજી મંદિરે કાર્યકર્તાઓ અને મિત્રો સાથે મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ આગામી શુક્રવાર, તારીખ ૨૧ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ પોતાનો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે. આ અવસરે તેઓ ફાગવેલ ગામ ખાતે આવેલા ભાથીજી મહારાજના મંદિરે દર્શન કરવા માટે પધારશે.

આ કાર્યક્રમ અંતર્ગત અજયભાઈ બ્રહ્મભટ્ટ પોતાના કાર્યકર્તાઓ અને મિત્રો સાથે મુલાકાત કરશે. આ પ્રસંગે ઉપસ્થિત રહેવા માટે તમામ કાર્યકર્તાઓ અને મિત્રોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ ૨૧ ઓગસ્ટ ૨૦૨૬, શુક્રવારના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યે ફાગવેલ સ્થિત ભાથીજી મંદિર ખાતે યોજાશે.
📲Get App