🔥 TRENDING અભાવગ્રસ્ત પરિવારના બાળકોને 14 ફેકલ્ટી... KCG કેમ્પસમાં સાઇબર સિક્યોરિટી હેકાથોન... કપરાડામાં ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્... કેશોદ-સોદરડા રોડ પર એસ.ટી. બસ અને એક્ટ... ਅਰਜੁਨ ਢਿੱਲੋਂ ਨੇ ਗੁਰਜੀਤ ਤੂਤ ਦੀ ਬੇਟੀ ਦੇ... ਸ੍ਰੀ ਮੁਕਤਸਰ ਸਾਹਿਬ ਦੇ ਟ੍ਰੈਫ਼ਿਕ ਇੰਚਾਰਜ ਸ...
20 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કેશોદમાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનો પ્રારંભ: ખેડૂતો હવે સીધા ગ્રાહકોને વેચશે પેદાશો

✍️ Reporter: Sudip Gadhiya 🗓 20 Aug 2026, 06:32 PM 👁 11
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કેશોદ તાલુકા પંચાયત ખાતે ૨૦ ઓગસ્ટથી પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં ખેડૂતો પોતાની પેદાશો સીધી ગ્રાહકોને વેચી શકશે.

કેશોદ ખાતે પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત કૃષિ પેદાશોને સીધા ગ્રાહકો સુધી પહોંચાડવાના હેતુથી ૨૦ ઓગસ્ટ, ૨૦૨૬, ગુરૂવારથી પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તાલુકા પંચાયત, કેશોદ ખાતે શરૂ થયેલા આ કેન્દ્રમાં ખેડૂતો દ્વારા પ્રાકૃતિક પદ્ધતિથી પકવવામાં આવેલ અનાજ, કઠોળ, શાકભાજી અને ફળોનું સીધું વેચાણ કરવામાં આવશે.

આ વેચાણ કેન્દ્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા આત્મા પ્રોજેક્ટ, જૂનાગઢના સંકલનથી શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર દર ગુરૂવારે સવારે ૧૦:૦૦ થી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી કાર્યરત રહેશે. આ પહેલથી ખેડૂતોને પોતાની ઉપજ માટે યોગ્ય ભાવ અને સીધું બજાર મળી રહેશે, જ્યારે ગ્રાહકોને વચેટિયા વિના તાજી અને ગુણવત્તાયુક્ત પ્રાકૃતિક પેદાશો ખરીદવાની તક મળશે.

પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા અને ખેડૂતો તથા ગ્રાહકો વચ્ચે સીધો સંપર્ક વધારવાના ઉદ્દેશ્ય સાથે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કેશોદ તથા આસપાસના વિસ્તારના નાગરિકોને આ વેચાણ કેન્દ્રની મુલાકાત લઈ સ્થાનિક ખેડૂતો પાસેથી પ્રાકૃતિક કૃષિ પેદાશોની ખરીદી કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
📲Get App