🔥 TRENDING Ex-India Cricketer Warns Shubman Gill... Pratik Gandhi Says No One Knows How to... Ananya Raj's Final Instagram Tribute G... Actress Barbara Mori Expresses Desire... Malti Chopra Embraces Desi Style in Tr... Karan Aujla Confronts Fan After Jacket...
18 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરુ રવિદાસજીની જન્મજયંતિ નિમિત્તે કળશ યાત્રા અને સમરસતા સંકલ્પ અભિયાન

✍️ Reporter: Meman Mustufa Iqbalbhai 🗓 18 Aug 2026, 07:58 AM 👁 15
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા દ્વારા સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસજી મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત કળશ યાત્રા અને કળશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં સમરસતા, એકતા અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો રહ્યો હતો.

ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા દ્વારા સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસજી મહારાજની 650મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત એક ભવ્ય કળશ યાત્રા અને કળશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સમાજમાં સમરસતા, એકતા અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયો હતો.

આ કાર્યક્રમમાં પ્રભારી અર્જુન ચૌધરી, પૂર્વ ધારાસભ્ય જાંબુસર છત્રસિંહ મોરી, મહામંત્રી ભાજપ નર્મદા આશિષભાઈ પટેલ, શહેર પ્રમુખ અજિત પરીખ અને નગરપાલિકા પ્રમુખ શિવાની મહેતા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજપીપળાના કાળા ઘોડા ખાતેથી કળશ યાત્રાનો પ્રારંભ થયો હતો, જે બાબા સાહેબ આંબેડકર ચોક થઈને શ્રી હરસિદ્ધિ માતાજીના મંદિર સુધી પહોંચી હતી.

યાત્રાના અંતે શ્રી હરસિદ્ધિ માતાજીના મંદિરે કળશ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સમાજના લોકો ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ સમરસતા અને એકતાના સંદેશને આગળ વધારવા સંકલ્પ લીધો હતો.
📲Get App