🔥 TRENDING Tripura CM Pradyot Debbarma Announces... Tripura Schools Under Surprise Inspect... Himachal Pradesh CM Announces Doctors... Himachal Pradesh CM Sukhu Approves ₹27... Pannun Claims Shimla as Khalistan Capi... Indore Police Arrest Murder Suspect Ov...
17 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ધોળકાના કલિકુંડ વિસ્તારમાં પાણીના નિકાલ માટે રસ્તો બંધ, સ્થાનિકો દ્વારા ટ્રેક્ટર ખસેડવાની માંગ

✍️ Reporter: Mukeshkumar Makwana 🗓 17 Aug 2026, 11:17 PM 👁 9
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધોળકાના કલિકુંડ વિસ્તારમાં પાણીના નિકાલ માટે ટ્રેક્ટર મૂકી દેવામાં આવ્યાથી 15 દિવસથી રસ્તો બંધ છે. સ્થાનિકો ટ્રેક્ટરને એક બાજુ ગોઠવવા માંગ કરી રહ્યા છે.

ધોળકાના કલિકુંડ વિસ્તારમાં આસોપાલવ સોસાયટીની પાછળ શંકર તળાવ જતા રસ્તા પર પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા ટ્રેક્ટર અને પંપ મૂકી દેવામાં આવ્યાં છે. આ કારણે, છેલ્લા 15 દિવસથી આ રસ્તો બંધ છે, જેના પરિણામે સ્થાનિકો માટે અવરજવર અશક્ય બની ગયું છે.

રસ્તા પર કાદવ અને કીચડના સામ્રાજ્ય વચ્ચે પગપાળા અને વાહન ચાલકોને પસાર થવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ખેતી કરતા પશુપાલકોને હાઇવે પરથી ઢોર ઢાખર લઈને જતા અક્સ્માતનો ભય સતાવી રહ્યો છે.

સ્થાનિકો દ્વારા ટ્રેક્ટરને રસ્તાની એક બાજુ ગોઠવવાની માંગ કરવામાં આવી છે, જેથી કાદવ કીચડ વચ્ચે પણ રહીશો અને ટુ વ્હીલર ચાલકો માટે અવર જવર કરવાનો માર્ગ ખુલ્લો થઈ શકે. આ માંગને લઈને સ્થાનિકો તંત્ર તરફથી યોગ્ય પગલાંની અપેક્ષા રાખે છે.
📲Get App