धर्म
શ્રાવણ માસના પ્રથમ સોમવારે મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતી માટે હજારો ભક્તો ઉમટ્યા
ઉજ્જૈનના પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભસ્મ આરતીમાં ભાગ લેવા માટે હજારો શ્રદ્ધાળુઓ વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા.
શ્રાવણ માસના પ્રથમ સોમવારે ઉજ્જૈનના પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. વહેલી સવારે 2.30 વાગ્યે ભસ્મ આરતીનો પ્રારંભ થયો હતો. ભક્તોએ મોડી રાતથી જ લાઈનમાં ઉભા રહી બાબા મહાકાલના દિવ્ય દર્શનનો લાભ લીધો હતો.
મંદિરના પટ ખુલ્યા બાદ પંડા-પૂજારીઓએ ગર્ભગૃહમાં સ્થાપિત દેવ પ્રતિમાઓનું પૂજન-અર્ચન કર્યું હતું. ત્યારબાદ ભગવાન મહાકાલનો દૂધ, દહીં, ઘી, ખાંડ, પંચામૃત અને ફળોના રસથી અભિષેક કરવામાં આવ્યો હતો. મહાનિર્વાણી અખાડા તરફથી શિવલિંગ પર ભસ્મ અર્પણ કરવામાં આવી હતી.
ઝાંઝ-મંજીરા, ઢોલ-નગારાં તથા શંખનાદ વચ્ચે યોજાયેલી આ ભસ્મ આરતીમાં દિવ્ય સ્વરૂપના દર્શનથી ભક્તો મંત્રમુગ્ધ બન્યા હતા અને સમગ્ર મંદિર પરિસર ‘જય શ્રી મહાકાલ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
મંદિરના પટ ખુલ્યા બાદ પંડા-પૂજારીઓએ ગર્ભગૃહમાં સ્થાપિત દેવ પ્રતિમાઓનું પૂજન-અર્ચન કર્યું હતું. ત્યારબાદ ભગવાન મહાકાલનો દૂધ, દહીં, ઘી, ખાંડ, પંચામૃત અને ફળોના રસથી અભિષેક કરવામાં આવ્યો હતો. મહાનિર્વાણી અખાડા તરફથી શિવલિંગ પર ભસ્મ અર્પણ કરવામાં આવી હતી.
ઝાંઝ-મંજીરા, ઢોલ-નગારાં તથા શંખનાદ વચ્ચે યોજાયેલી આ ભસ્મ આરતીમાં દિવ્ય સ્વરૂપના દર્શનથી ભક્તો મંત્રમુગ્ધ બન્યા હતા અને સમગ્ર મંદિર પરિસર ‘જય શ્રી મહાકાલ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.