Local
ગારીયાધાર એસ.ટી. બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા અભિયાન અને જાગૃતિ રેલી
Watch on:
▶️ YouTube
ગારીયાધાર એસ.ટી. બસ સ્ટેશન ડેપો ખાતે આજે ડેપો પર હાજર કર્મચારીઓ તેમજ સફાઈ કર્મચારીઓ દ્વારા સંયુક્ત રીતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત બસ સ્ટેશન પરિસરમાં સફાઈ કામગીરી કરી સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, ડેપો સ્ટાફ દ્વારા મુસાફર જનતામાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે સ્વચ્છતા રેલી યોજવામાં આવી હતી. રેલી દરમિયાન મુસાફરોને બસ સ્ટેશન તેમજ એસ.ટી. બસોમાં સ્વચ્છતા જાળવવા અને કચરો ગમે ત્યાં ન નાખવા અપીલ કરવામાં આવી હતી.
ડેપો સ્ટાફ દ્વારા મુસાફરોને સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ જાળવવામાં સહભાગી બનવા તેમજ સ્વચ્છતા પ્રત્યે ગંભીરતા દાખવવા અપીલ કરવામાં આવી હતી.
“સ્વચ્છ બસ સ્ટેશન, સ્વસ્થ મુસાફર — સ્વચ્છ ભારત, સુંદર ભારત.”
આ ઉપરાંત, ડેપો સ્ટાફ દ્વારા મુસાફર જનતામાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે સ્વચ્છતા રેલી યોજવામાં આવી હતી. રેલી દરમિયાન મુસાફરોને બસ સ્ટેશન તેમજ એસ.ટી. બસોમાં સ્વચ્છતા જાળવવા અને કચરો ગમે ત્યાં ન નાખવા અપીલ કરવામાં આવી હતી.
ડેપો સ્ટાફ દ્વારા મુસાફરોને સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ જાળવવામાં સહભાગી બનવા તેમજ સ્વચ્છતા પ્રત્યે ગંભીરતા દાખવવા અપીલ કરવામાં આવી હતી.
“સ્વચ્છ બસ સ્ટેશન, સ્વસ્થ મુસાફર — સ્વચ્છ ભારત, સુંદર ભારત.”