🔥 TRENDING Saif Ali Khan Asked to Appear Nude in... Sonam Bajwa Celebrates Birthday in 202... FDA Issues Notices to Shah Rukh Khan,... Ishwak Singh Stresses India's Strength... Governor Hosts 'At Home' Event at Lok... Himachal Pradesh Disburses ₹20.61 Cror...
16 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

તિલકવાડા તાલુકામાં વરસાદી પાણીથી વીરપુર ગામનો માર્ગ ધોવાણ,

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 16 Aug 2026, 11:17 AM 👁 7
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વીરપુર ગામમાં વરસાદી પાણીના કારણે માર્ગ ધોવાણ થતાં વાહનચાલકો અને ગ્રામજનો માટે જોખમ ઊભું થયું છે.

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વીરપુર ગામને વાડિયા વાસણ ગામ સાથે જોડતા માર્ગ પર વરસાદી પાણીના કારણે રસ્તાનું ધોવાણ થયું છે. રેલવે નજીકના નાળા પાસે રસ્તો બંને તરફથી ધોવાઈ જતાં વચ્ચે માત્ર ત્રણથી ચાર ફૂટ જેટલો રસ્તો બચ્યો છે. આ ધોવાણના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

રસ્તાનો નીચેનો ભાગ પણ ધોવાણના કારણે નબળો પડી ગયો છે, જેના કારણે ગમે ત્યારે વધુ તૂટી પડવાની ભીતિ છે. ખાસ કરીને રાત્રિના સમયે આ માર્ગ પર અકસ્માતનું જોખમ વધ્યું છે. ગ્રામજનો આ સ્થિતિને લઈને ચિંતિત છે અને તંત્રને6 તાત્કાલિક પગલાં લેવા માટે વિનંતી કરી રહ્યા છે.

વિરપુર ગામની નજીક વર્ષો જૂના નાળા (પુલિયા) પર સળિયા બહાર નીકળી ગયા છે અને ખાડા પડી ગયા છે. વરસાદી પાણી નીકળવા માટે બનાવવામાં આવેલા આ નાળાની હાલત પણ જર્જરિત બની ગઈ છે. ગ્રામજનોએ તંત્રને કોઈ જાનહાનિ થાય તે પહેલાં નાળા પાસે થયેલું ધોવાણ તાત્કાલિક પૂરવા, રસ્તાનું મજબૂતીકરણ કરવા તેમજ જૂના નાળા પરના ખાડા અને બહાર નીકળેલા સળિયાનું સમારકામ કરવાની માંગ કરી છે.

માર્ગ બંધ થવાથી ગ્રામજનોએ તાલુકા મથક સુધી પહોંચવા આશરે ચાર કિલોમીટરનો વધારાનો ફેરો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે.
📲Get App