અમરેલી એરપોર્ટ ખાતે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું ઉષ્માપૂર્ણ સ્વાગત
અમરેલી એરપોર્ટ ખાતે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું આગમન થતા ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.જે. પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત, અગ્રણી શ્રી અતુલ કાનાણી સહિતના મહાનુભાવશ્રીઓ દ્વારા ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. અમરેલી એરપોર્ટ ખાતે ટૂંકા રોકાણ બાદ માનનીય રાજ્યપાલશ્રી બોટાદ જવા રવાના થયા હતા.