🔥 TRENDING HAL and Safran sign pact to develop In... Rajasthan Agriculture Minister Kirori... કાનપુર કટરા વિસ્તારમાં તાલીમી વિમાનનું... Tiger Woods Appears Unrecognizable in... BollywoodShaadis Releases New Jaye P M... Singer Ankit Baliyan Murdered; Haryanv...
27 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

ગુજરાતમાં 'હર ઘર તિરંગા' અભિયાનની શરૂઆત

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 13 Aug 2026, 02:02 PM 👁 29
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં તિરંગો લહેરાવીને રાષ્ટ્રવ્યાપી 'હર ઘર તિરંગા' અભિયાનમાં સહભાગી થયા.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં રાષ્ટ્રવ્યાપી 'હર ઘર તિરંગા' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય દેશના 80મા સ્વતંત્રતા પર્વ અને વંદ માતરમ્ ગાનના 150 વર્ષની ઉજવણીની થીમ પર આધારિત છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતેના તેમના નિવાસસ્થાને અગાસીમાં તિરંગો લહેરાવીને આ અભિયાનમાં સહભાગી થયા. આ અભિયાન 9મીથી 17મી ઑગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં ચાલશે.

ગુજરાતમાં 70 લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવામાં આવશે. ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા ગામડાઓથી લઈને રાજ્યના મોટા શહેરો સુધી, તમામ જિલ્લાઓમાં વ્યાપક જનભાગીદારી થકી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
📲Get App