स्थानीय
લંગાળામાં કલેક્ટરની મુલાકાત, લોકોના પ્રશ્નોનું થશે નિરાકરણ
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના લંગાળા ગામની ગ્રામ પંચાયતની જિલ્લા કલેક્ટર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન ગ્રામજનોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળવામાં આવી હતી અને પ્રશ્નોના નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે જ તલાટી કમ મંત્રીની સામાન્ય દફતર તપાસણી પણ કરવામાં આવી હતી.