🔥 TRENDING AP High Court Requests Police Report o... Gujarat Govt Guarantees Continuous LPG... Gujarat Fast-Tracks Clearances to End... Old Secretariat to Get Major Modern Ma... Three Arrested in Murder of Karnataka... Karnataka Coast Hit By Heavy Rains
08 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

નલિયા: જવાહર નવોદય વિદ્યાલય, ડુમરા ખાતે નવોદય સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી

✍️ Reporter: Pravin Sanjot 🗓 08 Aug 2026, 02:56 PM 👁 4
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નલિયાના ડુમરા ખાતે આવેલ પીએમ જવાહર નવોદય વિદ્યાલયમાં નવોદય સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું.

નલિયા: પીએમ જવાહર નવોદય વિદ્યાલય, ડુમરા ખાતે નવોદય સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. નવોદય વિદ્યાલય સમિતિના નિર્દેશ અનુસાર આયોજિત આ કાર્યક્રમમાં પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર દિનેશભાઈ સંજોટ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત શાળાના આચાર્ય પ્રતિભાસિંઘ દ્વારા મુખ્ય અતિથિઓનું સ્વાગત કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ આકર્ષક સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરીને સૌનું મનોરંજન કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્તરે શાળાનું ગૌરવ વધારનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

મુખ્ય અતિથિ દિનેશભાઈ સંજોટ ઉપસ્થિત વિદ્યાર્થીઓને સંબોધતા પ્રેરક ઉદબોધન આપ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવોદય વિદ્યાલયની સ્થાપનાનું મહત્વ, તેના સંચાલન અને ગતિવિધિઓ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવાનો હતો.
📲Get App