स्थानीय
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાના નામે ૩૦૦ જેટલા ગરીબ પરિવારોના મકાનો તોડી પાડવામાં આવતા તેઓ ૩૨ દિવસથી ખુલ્લા આકાશ નીચે બેઘર બન્યા
यहाँ देखें:
▶️ YouTube
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાના નામે ૩૦૦ જેટલા ગરીબ પરિવારોના મકાનો તોડી પાડવામાં આવતા તેઓ ૩૨ દિવસથી ખુલ્લા આકાશ નીચે બેઘર બન્યા છે, અને આ અમાનવીય સ્થિતિમાં સ્થાનિક ધારા
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાના નામે ૩૦૦ જેટલા ગરીબ પરિવારોના મકાનો તોડી પાડવામાં આવતા તેઓ ૩૨ દિવસથી ખુલ્લા આકાશ નીચે બેઘર બન્યા છે, અને આ અમાનવીય સ્થિતિમાં સ્થાનિક ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી કે કોઈ અધિકારી તેમની મુલાકાતે પણ નથી આવ્યા. આ ગંભીર અન્યાય સામે કોઈપણ રાજકીય પક્ષ સાથે જોડાયા વગર હંમેશાં ગરીબોના મસીહા બનીને અડીખમ ઊભા રહેતા લખનભાઈ ધૂવા આ લડાઈનું નેતૃત્વ કરી રહ્યા છે. જ્યારે-જ્યારે કચ્છના શ્રમિકો પર આફત આવી છે ત્યારે લખનભાઈ તેમની ઢાલ બન્યા છે, અને આજે તોડી પાડવામાં આવેલા આ તમામ પરિવારોને 'પ્રધાનમંત્રી આવાસ યોજના' હેઠળ પાકા મકાન બનાવી આપવામાં આવે તેવી મક્કમ માંગ સાથે આ સંઘર્ષ ચાલી રહ્યો છે. હવે કચ્છની પ્રજા અને સરકારની આંખો ખોલવાનો સમય આવી ગયો છે, જેથી આ શોષિતોને તેમનો હક અપાવી શકાય!